Friday, December 14, 2012

તૂર્કીના સુલતાન કોસેન નામના ૨૯ વર્ષ- ઊંચાઈ ૮ ફૂટ ૩ ઈંચ


જાણવા જેવું:

તૂર્કીના સુલતાન કોસેન નામના ૨૯ વર્ષના યુવાનને પીટ્યૂટરી ગ્લેન્ડમાં વિચિત્ર ગાંઠ થઈ હતી, જેના પરિણામે એની ઊંચાઈ સતત વધતી જ ગઈ. સુલતાનની ઊંચાઈ ૮ ફૂટ ૩ ઈંચ સુધી વધી છે.

Tuesday, December 11, 2012

સિતારવાદક પંડિત રવિશંકરનું અવસાન


મુંબઈ - 

વિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનું મંગળવારે અમેરિકાના સેન ડિયેગોમાં અવસાન થયું છે. એ ૯૨ વર્ષના હતા. એમને શ્વાસની તકલીફ થતાં ગયા ગુરુવારે લા જોલા શહેરની સ્ક્રિપ્સ મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ
્યા હતા. એમણે મંગળવારે સાંજે લગભગ ૪.૩૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધો.
દંતકથાસમાન સંગીતકાર પંડિત રવિશંકર ભારતના મ્યૂઝિકલ એમ્બેસેડર કહેવાતા. પૂર્વ અને પશ્ચિમના શાસ્ત્રીય સંગીતની ધૂનનાં અદ્દભુત કોમ્બિનેશન માટે એ જાણીતા હતા. પશ્ચિમના દેશોમાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રસાર કરાવવામાં પાયાનું કામ કરનારાઓમાંના તે એક હતા.

અલવિદા અશ્વિની ભટ્ટ, ‘ઓથાર’નો સૂરજ આથમ્યો


અમદાવાદ, 10 ડિસેમ્બર


  • ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હદયરોગના હમલાથી અવસાન
  • ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા. તેમના શોકથી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યરસિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાઈ છે, અને સાહિત્યમાં ન પૂરાય એવી ખોટ પડી છે.

અલવિદા અશ્વિની ભટ્ટ, ‘ઓથાર’નો સૂરજ આથમ્યો


અમદાવાદ, 10 ડિસેમ્બર


  • ગુજરાતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું હદયરોગના હમલાથી અવસાન
  • ગુજરાતી સાહિત્યમાં નોખો ચીલો ચાતર્યો હતો
ગુજરાતી સાહિત્યના જાણીતી નવલકથાકાર અશ્વિની ભટ્ટનું આજે અમેરિકના દલ્લાસ ખાતે હદયરોગના હુમલાથી અવસાન થયું.
અશ્વિની ભટ્ટે ગુજરાતી સાહિત્યમાં નવાપ્રકારની નવલકથાઓ આપીને નોખો ચીલો ચાતર્યો હતો. તેમણે ફાસલો, ઓથાર, લજ્જા સન્યાલ, આશકામંડલ, શૈલજા સાગર, કરામત જેવી અનેક નવલકથાઓ લખી છે. અશ્વિની ભટ્ટ તેમની નવલકથા માટે પશ્ચાદભુમિકામાં રહેલા સ્થળોની મુલાકાત લેવા માટે જાણીતા હતા. જેના કારણે તેમની નવલકથાઓમાં સ્થળકાળના વર્ણનો એકદમ તાદૃશ લાગતા હતા.
અશ્વિની ભટ્ટે અનાવાદ થકી સાહિત્યમાં પગરણ માંડ્યા હતા. તેમના શોકથી ગુજરાતી સાહિત્ય અને સાહિત્યરસિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરાઈ છે, અને સાહિત્યમાં ન પૂરાય એવી ખોટ પડી છે.

Friday, December 7, 2012

દુનિયાની સૌથી મોટી ઉમરનાં મહિલાનું મોત


વોશિંગ્ટન , 5 ડિસેમ્બર
દુનિયાની સૌથી મોટી ઉંમરનાં મહિલા બેસી કૂપરનું ૧૧૬ વર્ષની ઉંમરે મોત નિપજ્યું છે. અમેરિકાના એટલાન્ટાની એક નર્સીંગ હોમમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના પૂત્ર સિડની કૂપરે જણાવ્યુ ંહતું કે તેમની માતાની ઉંપર ૧૧૬ વર્ષની હતી તેમ છતા તેમની ઉંમરની અસર તેમની તબિયત પર નહોંતી થઇ, પરંતુ અચાન તેમને સ્વાસ લેવામાં તકલિફ થતા તેમણે પ્રાણ ત્યાગી દિધા. 
ઉલ્લેખનીય છે કે બેસી કૂપરનું ગિનીસ બુકમાં વિશ્વના સૌથી મોટી ઉંમરના મહિલા તરીકે નામ નોધાયેલું. તેમના પુત્ર સિડનીએ જણાવ્યુ હતુ કે તેમની માતા બેસી મંગળવારની રાત્રે હોસ્પિટમાં દાખલ થયા એ પહેલા તેમણે પોતાના વાળને ઠીક કર્યા અને ક્રિસમસનો એક વિડીયો પણ જોયો હતો. પરંતુ તેમની તબિયત અચાનક ખરાબ થતા તેઓને સ્વાસ લેવામાં તકિફ થવા લાગી, જેને કારણે તેમને એટલાંટાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા જ્યા તેમને ઓક્સીઝન પર પણ રાખવામા આવ્યા પરંતુ તેમની તબિયતમા કોઇ સુધારો ન થતા તેઓએ દમ તોડી દીધો હતો
બેસી કૂપરે શિક્ષીકા તરિકે સેવા આપી હતી, ૨૬મી ઓગસ્ટ ૧૮૯૬માં જન્મેલા બેસે કૂપર વ્યવસાયે શિક્ષક હતા. તેમણે લૂથર કૂપર સાથે ૧૯૨૪માં લગ્ન કર્યા હતા, લુથરનું અવસાન ૧૯૬૩માં થયું હતું.ચાર પૂત્રો અને ૧૬ પ્રપૌત્રોને એકલા છોડીને બેસી કૂપરે મંગળવારે આ દુનિયાની અલવિદા કરી દીધી. ગિનીજ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના જણાવ્યા અનુસાર સૌથી મોટી ઉંમર ધરાવતા ફાન્સના કાલમેટ હતા, જેઓની ઉંમર ૧૨૨ વર્શની હતી અને ૧૯૯૭માં તેમનું અવસાન થયું હતું.

Thursday, December 6, 2012

ઓબામા સૌથી શક્તિશાળી : સોનિયા-મનમોહન ટોપ ૨૦માં

ન્યૂયોર્ક, તા. 6 ડિસેમ્બર
  • ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી ૧૨મા ક્રમે
  • ભારતના વડાપ્રધાન મનમોહનસિંહનો ૨૦મો ક્રમ
વિશ્વનાં અગ્રણી મેગેઝિન ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી વિશ્વના સૌથી શક્તિશાળી મહાનુભાવોની યાદીમાં અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા સતત બીજા વર્ષે ટોચ પર રહ્યા છે. તેમને વિશ્વના સૌથી પાવરફુલ વ્યક્તિ ગણવામાં આવ્યા છે. ભારતીય કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી એક ક્રમ નીચે ઊતરીને આ વર્ષે ૧૨મા ક્રમે રહ્યાં છે જ્યારે ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા ક્રમે આવ્યા છે, આમ સોનિયા ગાંધી અને મનમોહનસિંહે ટોપ ૨૦માં સ્થાન મેળવ્યું છે.
ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને સ્ટીલકિંગ લક્ષ્મી મિત્તલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે. ભારતનાં સોનિયા ગાંધી આ વર્ષે ૧૨મા ક્રમે હોવા છતાં તેઓ ચીનના નાયબ વડાપ્રધાન લી ક્વિંગ તેમજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ હોલાન્દેથી આગળ છે.
ફોર્બ્સ દ્વારા નોંધવામાં આવ્યું છે કે સોનિયા ગાંધીના હાથમાં વસતીનાં ધોરણે વિશ્વની સૌથી મોટી બીજી લોકશાહી તેમજ અર્થતંત્રના હિસાબે ૧૦મા સૌથી મોટા દેશનું સૂકાન છે. તેમના પુત્ર રાહુલ ગાંધી પણ હવે ભારતનું સુકાન સંભાળવા સ્પર્ધામાં છે.
આ યાદીમાં ભારતના વડાપ્રધાન મનમોહનસિંહ ૨૦મા સ્થાને છે. તેઓ ઓક્સફર્ડ અને કેમ્બ્રિજમાંથી અર્થશાસ્ત્રમાં નિષ્ણાત બન્યા છે. તેઓ ભારતમાં આર્િથક સુધારાના સ્થપતિ છે. સિંહ ગયા વર્ષે ૧૯મા ક્રમે હતા, જો કે તેમના શાંત સ્વભાવને કારણે તેમને નબળા અને સંકોચશીલ ગણાવાઈ રહ્યા છે. મુકેશ અંબાણી આ યાદીમાં ૩૭મા ક્રમે છે, જ્યારે લક્ષ્મી મિત્તલ ૪૭મા ક્રમે છે.
ઓબામા પછી શક્તિશાળી સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિની યાદીમાં જર્મનીના ચાન્સેલર ૫૮ વર્ષના એન્જેલા માર્કેલ બીજા નંબરે છે. ગયા વર્ષે તેઓ ચોથા ક્રમે હતા. તેઓ ૨૭ સભ્ય દેશો ધરાવતા યુરોપિય સંઘની કરોડરજ્જુ સમાન છે. તેમણે યૂરોઝોનને આર્િથક કટોકટીમાંથી ઉગારવાનું અઘરૃં કામ કરવાનું છે.
રશિયાનાં પ્રેસિડેન્ટ વ્લાદિમિર પુતિન આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે જ્યારે માઇક્રોસોફ્ટના સહસ્થાપક બિલ ગેટ્સ નંબર ૪ પર છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મહામંત્રી ઝિ જિનપિન્ગ ૯મા ક્રમે, ઇરાનના સુપ્રીમ નેતા અલી ખામેની ૨૧મા નંબરે, સંયુક્ત રાષ્ટ્રના વડા બાન કી મૂન ૩૦મા, નોર્થ કોરિયાના નેતા કિમ જોંગ ઉન ૪૪મા અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન ૫૦મા ક્રમે છે. પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ અશફાક પરવેઝ કિયાની આ લિસ્ટમાં ૨૮મા નંબરે છે.

હિતેન્દ્રભાઈએ ચૂંટણીનાં પરિણામ બાદ પક્ષ છોડયો હતો


અમદાવાદ :
નરહરિ અમીન રાજકીય શિસ્ત અને સૌજન્ય દાખવી શક્યા નહિ
કોંગ્રેસને રામ રામ કરીને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા નરહરિ અમીન શ્રીરામનો નારો ગુંજતો કરવા ભાજપમાં જોડાઈ ગયા છે. નરહરિનો આ ભાજપ પ્રવેશ આજે ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.. નરહરિએ કોંગ્રેસ છોડવી જોઈતી ન હતી... ભાજપમાં જવું જોઇતુ ન હતું.. અને કોંગ્રેસ હાઈકમાન્ડને જો પાઠ ભણાવવા હોય તો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવી જોઈતી હતી. અને જો એમ ન કરી શકે તેમ હોય તો કમસે કમ ચૂંટણી બાદ જ પક્ષ પલટો કરવો હતો જેથી તેમણે પસંદ કરેલા ચાર ઉમેદવારો જીતુભાઇ પટેલ (નારણપુરા) રમેશભાઈ દૂધવાળા (ઘાટલોડિયા),ભરત પટેલ (સાબરમતી) અને કમલેશ શાહ (એલિસબ્રિજ) નોંધારા બન્યા છે. તે ન જ બન્યા હોત... આ દગાબાજી કોંગ્રેસ કરતા તેમના આ ચાર મિત્રોને વધુ ફટકો આપશે એવી લાગણી કોંગ્રેસ પક્ષના કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે. આ લાગણીમાં પણ સચ્ચાઈનો રણકો છે. જો ભૂતકાળ તરફ નજર કરીએ તો ગુજરાતમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાના પક્ષાંતરના અનેક બનાવો બન્યા છે. પરંતુ ચૂંટણીના પર્વમાં જ પક્ષને નુકસાન થાય એવું પગલું કમસે કમ પક્ષના કોઈ સિનિયર નેતાઓએ ભર્યું જ નથી. વાત ગુજરાતના જ કોંગ્રેસ પક્ષના એક મુખ્યમંત્રીની છે. સને ૧૯૬૯માં શ્રીમતી ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસના બે ફાડિયા કરીને કોંગ્રેસ આઈની રચના કરી હતી. એ બે ફાડિયાનો બીજો ભાગ સંસ્થા કોંગ્રેસ તરીકે ઓળખાયો હતો. જેના નેતા મોરારજી દેસાઇ હતા. કોંગ્રેસના વિચ્છેદ દરમ્યાન સને ૧૯૭૪માં ગુજરાતના લાદેલા રાષ્ટ્રપતિ શાસનનો અંત આવતા ગુજરાત વિધાનસભાની ૧૨મી જૂને ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઇન્દિરાજીની કોંગ્રેસ સામે તમામ પક્ષોએ એક થઇ જનતા મોરચો રચ્યો હતો. એ મોરચાએ કિમલોપના બહારી ટેકાથી સરકારની રચના કરી હતી. આ સરકાર ગુજરાતમાં સૌ પ્રથમ બિનકોંગ્રેસી સરકાર હતી...
સરકારની રચના પહેલા સંસ્થા કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ કોંગ્રેસ આઈમાં જોડાઈ જવાનું મન મનાવી લીધું. ઇન્દિરાજીએ લીલી ઝંડી આપી દીધી હતી.. પરંતુ હિતેન્દ્રભાઈએ વિધાનસભાની ચૂંટણી યોજાઈ ત્યાં સુધી મૌન જાળવી રાખ્યું હતું. એટલું જ નહીં જનતા મોરચાના ઉમેદવારોને મદદ પણ કરી હતી, પરંતુ ૧૨મી જૂનની ચૂંટણી બાદ જેવા ૧૫મી જૂને પરિણામો જાહેર થવા માંડયા અને મોરચાની સરકાર બનવાના સંકેતો સાંપડયા એ પછી જ હિતેન્દ્રભાઈએ ચૂંટણીના પરિણામના સ્થળ આંબાવાડી પોલિટેકનિક ખાતે પોતાનું રાજીનામું પ્રદેશ પ્રમુખ બાબુભાઇ જશભાઈ પટેલને મોકલી આપ્યું હતુ અને પક્ષની શિસ્ત સાથે પક્ષના નેતાઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કર્યો હતો.
બસ... કોંગ્રેસના કાર્યકરો ભૂતકાળની આ વાતને આજે દોહરાવી રહ્યા હતા. અને કહી રહ્યા હતા કે, નરહરિ અમીને પક્ષ સાથે કંઇક આવો જ વ્યવહાર કરવો જોઈતો હતો.

Monday, December 3, 2012

7 Sisters


7 SistersThe Seven Sutherland Sisters of Lockport, New York, were world-famous for their incredible hair, which reportedly had a collective length of 37 feet.

The Sutherland children were all musically inclined and often performed around New York State as the "Sutherland Concert of Seven Sisters and One Brother."
 In 1881, they performed at the Atlanta Exposition in Georgia. They traveled with "W.W. Coles Colossal Shows"
 in 1882 and joined "Barnum and Bailey's Greatest Show on Earth" by 1884.
Click here to join nidokidos



Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos

 untitled