Friday, July 31, 2015

Monday, July 27, 2015

Bharat Ratna APJ Abdul Kalam



News : Bharat Ratna APJ Abdul Kalam Passed Away : Former Indian President Bharat Ratna APJ Abdul Kalam (Avul Pakir Jainulabdeen Abdul Kalam) Passed Away today. He was reportedly collapsed on stage while giving a lecture at the Indian Institute of Management in Shillong and immediately rushed to hospital.Doctors say he suffered from a cardiac arrest.

Dr Kalam was born in Rameswaram on October 15, 1931, to a boatman. He played a pivotal role in India's Pokhran-II nuclear test in 1998, the first since the test by India in 1974. He was known as Missile Man India for ensuring the success of Integrated Guided Missile Development Programme (IGMDP). For his achievements, he was awarded the Padma Bhushan, Padma Vibhushan and Bharat Ratna, and then he became the 11th President of India in 2002. He was THE BEST and the ONLY president of India who inspired youth. His life itself is a motivational lesson for the modern youth.

APJ Abdl Kalam : Timeline of Important Dates : 
  • 1931 : A.P.J. Abdul Kalam was born on 15th October
  • 1954: Graduated from Saint Joseph's College, Tiruchirappalli. 
  • 1955: Enrolled at the Madras Institute of Technology to study aerospace engineering. 
  • 1960: Joined Aeronautical Development Establishment of Defense Research and Development Organization (DRDO) as a chief scientist. 
  • 1969: Was transferred to the Indian Space Research Organization (ISRO). 
  • 1981 : Honored with Padma Bhushan 
  • 1990 : Honored with Padma Vibhushan 
  • 1992-1999: Served as the Chief Scientific Adviser to the Prime Minister and the Secretary of Defence Research and Development Organisation. 
  • 1997 : Honored with Bharat Ratna 
  • 1997 : Honored with Indira Gandhi Award for National Integration 
  • 2002-2007: Served as the 11th President of India. 
  • 2015 : Passed Away on 27th July. 
 
Famous Books by Abdul Kalam :
  • Developments in Fluid Mechanics and Space Technology (1988) 
  • India 2020: A Vision for the New Millennium (1998) 
  • Wings of Fire: An Autobiography (1999) 
  • Ignited Minds: Unleashing the Power Within India (2002) 
  • The Luminous Sparks (2004) 
  • Mission India (2005) 
  • Inspiring Thoughts (2007) 
  • Indomitable Spirit (2007) 
  • Envisioning an Empowered Nation (2010) 
  • You Are Born To Blossom: Take My Journey Beyond (2011) 
  • Turning Points: A journey through challenges (2012) 
  • Target 3 Billion (2011) 
  • My Journey: Transforming Dreams into Actions (2013) 
  • A Manifesto for Change: A Sequel to India 2020 (2014) 
  • Transcendence My Spiritual Experiences with Pramukh Swamiji (2015) 

Sunday, August 31, 2014

ભારતીય મૂ‌ળના અમેરિકને ૩૨ વર્ષ પહેલાં ઇ-મેઇલને શોધેલો

http://navgujaratsamay.indiatimes.com/international/america/Who-invented-email/articleshow/41282118.cms



email
એજન્સી. વોશિંગ્ટન

જાણો છો ઇ-મેઇલનો સંશોધક કોણ છે? આનો શ્રેય ભારતીય અમેરિકન વી. એ. શિવા અય્યાદુરાઇને જાય છે. તેમને ૩૦ ઓગસ્ટ, ૧૯૮૨માં અમેરિકી સરકાર પાસેથી ઇલેક્ટ્રોનિક મેઇલ સિસ્ટમ માટે કોમ્પ્યુટર પ્રોગ્રામના સંશોધક તરીકે સત્તાવાર માન્યતા મળી હતી.

ન્યૂ જર્સીના લિવિન્ગ્સ્ટન હાઇ સ્કૂલમાં અભ્યાસ કરતાં અય્યાદુરાઇએ અહીંની મેડિસિન એન્ડ ડેન્ટિસ્ટ્રી યુનિવર્સિટી માટે ઇમેઇલ સિસ્ટમ પર કામ શરૂ કર્યું હતું. ૧૯૭૮માં તેમણે ઇન્ટરઓફિસ મેઇલ સિસ્ટમને સંપૂર્ણરીતે કાર્યરત કરી દીધી હતી. જેણે તેમણે 'ઇ-મેઇલ'નું નામ આપ્યું હતું અને ૧૯૮૨માં તેની કોપીરાઇટ મેળવી હતી.

એ વખતે કોપીરાઇટ એ પેટન્ટ જેવું જ હતું કેમ કે ત્યારે સોફ્ટવેર ઇન્વેન્શન્સનું રક્ષણ કરવા માટે બીજો કોઇ માર્ગ નહતો. તેમની કામગીરીના આધારે અય્યાદુરાઇને ૧૯૮૧માં હાઇ સ્કૂલ સીનિયર્સ માટે વેસ્ટિન્ગહાઉસ સાયંસ ટેલેન્ટ સર્ચ એવોર્ડ જીત્યા હતા. 'ઇ-મેઇલ' માટે સત્તાવાર યુએસ કોપીરાઇટ નોટિસ હાલમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશન નેશનલ મ્યુઝિયમ ઓફ અમેરિકન હિસ્ટ્રી પાસે છે. જોકે સંશોધન માટે અય્યાદુરાઇએ કરેલા દાવાને કારણે કોમ્પ્યુટર ટેક્નોલોજીના ઇતિહાસમાં તેમની જગ્યા વિશે વિવાદ થયો હતો. અન્ય કેટલાક લોકોએ પણ તેમણે ઇ-મેઇલ શોધ્યાનો દાવો કર્યો હતો.

Tuesday, March 11, 2014

એક ખોટી ચાલનો મતલબ રમતનો અંત નથી જ

એક ખોટી ચાલનો મતલબ રમતનો અંત નથી જ
જીવનની સફરમાં યોગ્ય ધ્યેય પસંદ કરવું એ સૌથી મહત્ત્વનું કાર્ય છે

જીવનની સફરમાં યોગ્ય ધ્યેય પસંદ કરવું એ સૌથી મહત્ત્વનું કાર્ય છે. બહુ ઓછા લોકો નાની ઉંમરથી જ પોતાનું લક્ષ્ય સુનિ‌શ્ચિ‌ત કરી શકે છે. ભારતમાં ચેસનો પર્યાય ગણાતો વિશ્વનાથન આનંદ આવા જૂજ લોકોની યાદીમાં બિરાજે છે. માત્ર અઢાર વર્ષની વયે જ આનંદે વર્લ્ડ જુનિયર ચેસ કોમ્પિટિશન જીતીને 'ગ્રાન્ડ માસ્ટર’નો પુરસ્કાર હાંસલ કર્યો હતો. શતરંજમાં આનંદે મેળવેલી અભૂતપૂર્વ સફળતા બદલ તેને અર્જુન એર્વોડ (૧૯૮પ), પદ્મશ્રી (૧૯૮૭), પદ્મભૂષણ (૨૦૦૦) જેવા ઇલકાબોથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ સફળતાની દાસ્તાન કારકિર્દીને નવી દિશા આપનારાઓ માટે દિશાદર્શક છે.
બહુ નાની ઉંમરે જ આનંદને સમજાઇ ગયું કે શતરંજની રમત જ એનું સર્વસ્વ છે. પિતાજીની બદલી ફિલિપાઇન્સમાં થઇ. એ વખતે એ સ્કૂલમાં હતો. ત્યાં જ એણે શતરંજની સ્પર્ધાઓમાં ભાગ લેવો શરૂ કર્યો. એ સમયના પ્રખ્યાત એશિયન ચેસ ખેલાડી યુગૂનયેર ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં હતા. ચોતરફ ચેસની જ બોલબાલા હતી. એ વખતે રોજ શતરંજ પર એક ટીવી શો પ્રસારિત થતો. શોના અંતે ચેસને લગતો એક કોયડો પુછાતો. આનંદની માતા દરરોજ એ કોયડો લખી રાખતી, જેને એ સ્કૂલેથી આવીને ઉકેલતો. કોયડો ઉકેલવાના ઇનામરૂપે શતરંજનું એક પુસ્તક અપાતું. જોતજોતામાં આનંદ કોયડા ઉકેલવામાં પારંગત બની ગયો કે રોજ જીતતો થોડાં અઠવાડિયાં બાદ ટેલિવિઝન કંપનીમાંથી તેડું આવ્યું.
એ લોકોએ આનંદની માતાને કહ્યું: 'તમારા દીકરાને કહો કે અમારા સ્ટુડિયો પર આવીને લાઇબ્રેરીમાંથી બધાં પુસ્તકો પસંદ કરી લે, પણ મહેરબાની કરીને તેને કહો કે તે આ સ્પર્ધામાં ભાગ ન લે. નહીંતર બીજા કોઇને જીતવાની તક જ નહીં મળે’ હાયર સેકન્ડરી, એટલે કે સોળ-સત્તર વર્ષ સુધીમાં આપણે કારકિર્દીમાં કઇ તરફ આગળ વધવું છે તે લગભગ ખબર પડી જ જાય છે પણ આનંદના મતાનુસાર હાઇસ્કૂલ પછીનો તબક્કો કારકિર્દીની પસંદગી માટે સૌથી મહત્ત્વનો છે. શતરંજની પસંદગીમાં આનંદને ઇશ્વરનો આદેશ જ દેખાય છે. શરૂઆતમાં મળેલી સફળતાઓ અને સંકેતો પારખીને એને લાગ્યું કે ભવિષ્યમાં આ એનો વ્યવસાય બની શકે તેમ છે.
આનંદ માને છે કે બને તેટલી ઝડપથી આપણા ભવિષ્યની દિશા નક્કી કરી લેવી ખૂબ જરૂરી છે. એ જાણવાની કોશિશ કરો કે આપણે હકીકતમાં શું કરવું છે. નક્કી કરેલા લક્ષ્યને પહોંચી વળવા માટે કોઇ ખૂબી વિકસાવવાની ક્ષમતા આપણામાં છે ખરી? કોશિશ કરો કે આ નિર્ણય તમારો પોતાનો જ હોય, પરિવારજનો કે અન્ય કોઇનાય દબાણમાં આવીને પસંદ ન હોય એવી કારકિર્દી પસંદ ન કરવી. અન્ય કોઇનું સપનું પૂરું કરવા નીકળેલા ઘણા યુવાનોને આનંદે નિષ્ફળતાની ખાઇમાં ધકેલાતા જોયા છે.પરિવાર અને મિત્રો સાચી સલાહ આપી શકે છે, પણ છેવટનો નિર્ણય તો તમારો પોતાનો જ હોવો જોઇએ.
તમારા કરતાં વધુ સારી રીતે તમને કોણ ઓળખી શકે? ચેસની પ્રતિયોગિતાઓમાં ભાગ લેતાં ઘણાં નાનાં બાળકોમાં આનંદે જીતવાનું દબાણ અને હારવાની સજા મેળવતાં જોયાં છે. આનંદ એક મહત્ત્વનો પાઠ શીખ્યો છે કે તમે જે કંઇ પણ કરતા હો, તેમાંથી તમને આનંદ અને ઉત્સાહ મળવા જરૂરી છે. જે ચીજમાંથી આનંદ મળતો હોય એનાથી ક્યારેય થાક નથી લાગતો. આનંદ કહે છે, મેં હંમેશાં જોયું છે કે જે યુવાનો પોતાની પસંદગીના રસ્તે આગળ વધે છે તે અનિચ્છાએ કારકિર્દી પસંદ કરનારા કરતાં વધુ સફળ થાય છે.
ચેસની જેમ જ જીવનમાં પણ પડકારો ઝીલીને મહેનત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. તૈયારી વિના કોઇ ક્યાંય કોઇ રમત, પરીક્ષા કે મુશ્કેલીમાં વિજયી નથી નીવડયું.
મેચમાં રમાયેલી ચાલોનું અધ્યયન કરીને ભૂલોનું પુનરાવર્તન ના થાય એ વિશે આનંદ શરૂઆતથી જ જાગ્રત થઇ ગયો હતો. એ છ વર્ષનો હતો ત્યારે એની માતાએ એની ચાલની નોંધ રાખવા એક ડાયરી આપી હતી. રમત પછી તરત જ આનંદ તેનું પોસ્ટર્મોટમ કરતો. એ એક-એક ચાલ સમજતો અને તેમાં કરેલી ભૂલો શોધી કાઢતો.એકવાર ભૂલ શોધી કાઢયા બાદ તેને સુધારીને આનંદ રમતને ઓર નિખારતો ગયો. આ રીતે કરેલાં સતત મૂલ્યાંકનથી એ આવનારી રમત માટે તૈયાર થઇ જતો. શરૂઆતના દિવસોમાં આનંદે ચેમ્પિયનોની મેચો પર આધારિત પુસ્તકો પણ વાંચ્યાં. વિશ્વનાથન આજે પણ એ રમતોનો અભ્યાસ કરે છે અને ગુરુઓના પ્રદર્શનમાંથી શીખતો રહે છે.
તમારા કામ કે ચાલનું વારંવાર પુનરાવર્તન કરતા રહો જેથી ઓછામાં ઓછી ભૂલો આવે. વિશ્વનાથન આનંદ નિષ્ફળતાથી ડરી જનારાઓને એક અમૂલ્ય સલાહ આપે છે. નિષ્ફળતા બહુ કીમતી છે. કારણ કે તેનાથી જ સફળતા મીઠી લાગે છે અને તે માટે કરેલી મહેનત લેખે લાગેલી દેખાય છે. નિષ્ફળતા વાસ્તવમાં સફળતાનો જ બીજો ચહેરો છે. તેનાથી ક્યારેય ડરો નહીં. નિષ્ફળતાથી હતાશ થવાને બદલે તેને શીખવાનું માધ્યમ બનાવો.વિશ્વનાથન એક વાત હંમેશાં યાદ રાખે છે: ટોચ પર પહોંચવા માટે જેટલી મહેનત જરૂરી છે એથી પણ વધુ મહેનત ત્યાં ટકી રહેવા કરવી પડે છે. જમાનો 'સર્વાઇકલ ઓફ ધ ફિટેસ્ટ’નો છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં હંમેશાં બે ડગલાં આગળ રહેવા અને આપણી જીત ટકાવી રાખવા સતત મહેનત સિવાય આરો નથી. એક સફળતા મેળવ્યા બાદ પગ લંબાવીને બેસવું બિલકુલ યોગ્ય નથી. વિજય મેળવ્યા પછી કામની ગતિ ધીમી કરી દેવી, કામ પાછળ ઠેલતાં જવું કે કામની ગંભીરતાને ઓછી આંકવી આ બધાં લક્ષણો તમારા પતનની શરૂઆત બની શકે છે. '

કિશોર મકવાણા
socialnetworkkishormakwana@ gmail.com

Wednesday, March 5, 2014

Forbes list of world's richest people


Name
Wealth
Main business
Hitesh                           $0.00bn
Source: Forbes magazine
Bill Gates$76bnMicrosoft, software
Carlos Slim$72bnAmerica Movil, telecoms
Amancio Ortega$64bnZara, fashion
Warren Buffet$58.2bnBerkshire Hathaway, investment
Larry Ellison$48bnOracle, software
Charles Koch/David Koch$40bn/$40bnKoch Industries, various
Sheldon Adelson$38bnLas Vegas Sands, casinos
Christy Walton$36.7bnWal-Mart, retail
Jim Walton$34.7bnWal-Mart, retail
Liliane Bettencourt$34.5bnL'Oreal, retail


Thursday, February 13, 2014

આ મહાપુરૂષે બતાવ્યા છે સફળતા પ્રાપ્ત કરવાના રહસ્યો,તમે પણ જાણો

સ્વામી વિવેકાનન્દનું વાસ્તવિક નામ નરેન્દ્ર નાથ દત્ત હતુ. તેઓ વેદાન્તના વિખ્યાત અને પ્રભાવશાલી આધ્યાત્મિક ગુરુ હતા. તેમણે અમેરિકા સ્થિત શિકાગો નગરમાં સન્ ૧૮૯૩ મા આયોજિત વિશ્વ ધર્મ મહાસમ્મેલનમા સનાતન ધર્મનુ પ્રતિનિધિત્વ કર્યુ હતુ. ભારતનુ વેદાન્ત અમેરિકા અને યૂરોપના દરેક દેશમાં સ્વામી વિવેકાનંદના ઉપદેશના કારણે જ પહોંચ્યો હતો. પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશન ની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રીય રીતે કામગીરી બજાવે છે. સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યું કે આપણું કામ કેવી રીતે કરવું જોઇએ.સ્વામી વિવેકાનંદે પોતાના કાર્યો અને ઉપદેશો વડે સમગ્ર વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો હતો. જીવન કઈ રીતે જીવવું અને જીવનમાં સફળતા પામવા માટે પણ તેમણે કેટલાક સુવર્ણ સૂત્રો જણાવ્યા છે. જે આજે અમે તમને જણાવીશું.

આ મહાપુરૂષે બતાવ્યા છે સફળતા પ્રાપ્ત કરવાના રહસ્યો,તમે પણ જાણો
સફળતા વિશેના સ્વામી વિવેકાનંદના સૂત્રો...
૧. વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
૨. ડરો નહિ. તમે કેટલી વખત નિષ્ફળ ગયા છો તેનો વિચાર ન કરો. હરકત નહિ, કાળ અનંત છે. આગળ વધો.
૩. દરેક માનવીની સફળતા પાછળ ક્યાંક પણ જબરદસ્ત સચ્ચાઈ, જબરદસ્ત પ્રામાણિકતા રહેલાં હોવાં જ જોઈએ; જીવનમાં તેની અસાધારણ સફળતાનું કારણ એ જ છે.
૪. અનંત શ્રદ્ધા અને બળ, એ જ માત્ર સફળતાનું રહસ્ય છે.
૫. દૃઢતાપૂર્વક આગળ વધો. અત્યાર સુધીમાં આપણે અદભુત કાર્યો કર્યા છે. બહાદુરો ! આગળ ધપો. આપણે સિદ્ધિ પ્રાપ્ત કરીશું જ !
૬. અનંત ધૈર્ય, અનંત પવિત્રતા અને અનંત ખંત, એ જ કોઈ પણ શુભ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાનું રહસ્ય છે.
૭. હિંમત રાખો અને કાર્ય કર્યે જાઓ. ધીરજ રાખવી અને દૃઢતાથી કાર્ય કરવું, એ જ એક માત્ર માર્ગ છે. આગળ ધપો; અને યાદ રાખજો કે… જ્યાં સુધી તમે પવિત્ર અને સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હશો ત્યાં સુધી નિષ્ફળતા કદી નહિ સાંપડે.
૮. કોઈ પણ કાર્યને સફળતા મળતાં પહેલાં સેંકડો મુશ્કેલીઓમાંથી પસાર થવું પડે છે. જેઓ ખંતથી મંડ્યા રહે છે તેમને સફળતા પ્રાપ્ત થાય છે, પછી વહેલી કે મોડી.
૯. આજ્ઞાપાલન, તત્પરતા અને કાર્ય માટે પ્રેમઃ જો તમારામાં આ ત્રણ હશે, તો તમારી પ્રગતિને કંઈ પણ રોકી નહિ શકે.
૧૦.’છાયા અને ફળ બંનેવાળું હોય તેવા મહાન વૃક્ષનો આશરો લેવો જોઈએ; છતાં જો ફળો ન મળે તો પણ આપણને છાયાની મોજ માણતાં કોણ રોકે છે?’ મહાન પ્રયાસો પણ તેવા જ વિચારથી કરવા જોઈએ, તે આનો સાર 
૧૧. કોઈ પણ અધીરો માણસ કદી પણ સફળતા મેળવી શકે નહિ.
૧૨. વિજય કે પરાજયની પરવા ન રાખો. સંપૂર્ણ નિઃસ્વાર્થ ઈચ્છા સાથે જોડાઈ જઈને કાર્ય કરો. એટલું જરૂર જાણજો કે જે માણસ ફતેહ પામવાને સર્જાયો હોય છે, તે પોતાના મનને પ્રબળ ઈચ્છાશક્તિ જોડે સાંકળે છે અને ખંતથી મંડ્યો રહે છે.
૧૩. નિરાશ ન થશો. અમૃત પીવા ન મળતું હોય તો ઝેર પીવું જોઈએ એવું કંઈ જ નથી.
૧૪. મારા ધ્યેયની સાથે મારું સમગ્ર જીવન છે; મદદ માત્ર એક ઈશ્વરની, બીજા કોઈની નહિ. સફળતાની એ જ ચાવી છે.