Tuesday, July 31, 2012

‘હોંસલે બુલંદ હો તો હિમાલય ભી છોટા લગતા હૈ’


લંડન, 31 જુલાઈ
·         પોલેન્ડની નતાલિયાને એક હાથ નથી છતા ટેબલ ટેનિસમાં પ્રી-ક્વાર્ટરમાં
·         બ્લેડ રનર પિસ્ટોરિયસ બંને પગ ન હોવા છતા ઓલિમ્પિકમાં દોડશે
‘હોંસલે બુલંદ હો તો હિમાલય ભી છોટા લગતા હૈ’કહેવતને સાર્થક કરી બતાવી છે પોલેન્ડની મહિલા એથ્લેટ ખેલાડી નતાલિયા પાત્યર્કાએ. લંડન ઓલિમ્પિકમાં આ મહિલા ખેલાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે નતાલિયાને જન્મથી જ કોણીથી આગળનો ડાબો હાથ નથી. છતા ટેબલટેનિસમાં ઓલિમ્પિક અને પેરાઓલિમ્પિક બંનેમાં ભાગ લઈ રહી છે.
ગજબનું ફોર્મ બતાવતા તેણે એક હાથે રવિવારે લંડન ઓલિમ્પિકની ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન જમાવ્યું છે.

આ ડોક્ટર દર વર્ષે અમેરિકાથી સેવા કરવા વતન આવે છે!


વિગતવાર  - વિરેન્દ્રસિંહ અટોદરિયા
દક્ષિણ ગુજરાતનો આદિવાસી વિસ્તાર તેના પછાતપણા માટે જાણીતો છે. દૂર સુદૂર ફેલાયેલાં ગામડાંઓ, રસ્તાનાં ઠેકાણાં નહીં અને વળી જંગલ વિસ્તાર. આ વિસ્તારમાં રહેતા લોકોની જિંદગીમાં અંધકારરૂપી ઓળાઓનો પાર નથી, પણ પ્રજ્ઞાબહેન મુકુલભાઈ કલાર્થી નામે એક આશાનું કિરણ પણ છે!
અમેરિકામાં રહેતાં પ્રજ્ઞાબહેન છેલ્લાં ૧૩ વર્ષથી દર વર્ષે નિયમિત છ મહિના અહીં આવે છે. દર્દીઓને મફત તપાસી આપે છે,સારવાર કરે છે અને જરૂર પડયે કાવડિયા ખર્ચી દવા પણ અપાવે છે. આણંદ જિલ્લાના પલાણા ગામનાં પ્રજ્ઞાબહેન આમ તો અમેરિકાના સ્પ્રીંગફિલ્ડમાં રહે છે. તેઓ ગાયનેકોલોજિસ્ટમાં એમ.ડી. (ડોક્ટર ઓફ મેડિસિન) થયેલાં છે. અમેરિકામાં તેઓ કેદીઓ માટેની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. તેમનાં લગ્ન ૧૯૯૮માં ભરૂચ જિલ્લાના ઘમણાદ ગામમાં થયેલાં.
સેવા પ્રજ્ઞાબહેનને વારસામાં મળેલી છે. મૂળ ભરૂચ જિલ્લાના ઘમણાદ ગામના દીપચંદભાઈ શાહ વર્ષો પહેલાં ૧૮૦૦ વીઘાની જમીનના માલિક હતા. તેમના પુત્ર ઉત્તમભાઇ શાહ ગાંધીયુગમાં રંગાઇ જઇને તેઓ પોતાની મિલકતમાં ભાગ ન લેવાની શરતે તેમણે કચડાયેલા લોકો માટે સેવાનું કામ શરૂ કરી દીધું હતું. ઉત્તમભાઇ શાહે તેમની દીકરી નિરંજનાબહેન કલાર્થીને વર્ષો પહેલાં સ્વરાજ આશ્રમમાં જ સરદાર કન્યા વિદ્યાલયના નામે સેવાકીય પ્રવૃત્તિ માટે આગળ ધરી દીધાં હતાં. એ નિરંજનાબહેનનાં દીકરી એટલે આપણાં પ્રજ્ઞાબહેન.
પ્રજ્ઞાબહેને લગ્ન બાદ તરત જ ગુરુદેવ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રામનગર રાંદેરના વિશ્વનાથ અવધૂતની અનુમતિએ વર્ષમાં ૬ માસ અમેરિકાથી ગુજરાતમાં આવીને તબીબીક્ષેત્રે નિયમિત સેવા આપવાનું શરૂ કર્યું. એક અઠવાડિયામાં પાંચ દિવસ ગામડાંઓમાં જઇને ગરીબ દર્દીઓને મેડિકલ ચેકઅપ કરીને તદ્દન મફત દવા આપે છે. જે ગામમાં તેઓ જાય ત્યાં કામચલાઉ દવાખાનું ઊભું કરી દે છે. તેઓ મોબાઈલ વાનમાં ફરતું દવાખાનું લઈને જ ગામડાંઓ ખૂંદે છે. તેમની સાથે હોય તેમનો ડ્રાઈવર અને એક સહાયક.
આ સેવામાં એમ.ડી થયેલા બાવન વર્ષીય ભાસ્કરભાઈ વખારિયા પણ ક્યારેક જોડાતા હોય છે. પ્રજ્ઞાબહેન એક માસમાં અંદાજે ૧૮૦૦ જેટલા દર્દીઓને તપાસી દવા આપે છે. તેમના ફરતા દવાખાનામાં એક વિશેષતા એ છે કે ગામડાંમાં જે ઘરે જઇને દવાખાનું ચલાવે તેનું પાણી કે કોઇ વસ્તુ ખાતાં પણ નથી. ગામ પર કોઈ પણ પ્રકારનો બોજ બન્યા વગર સેવા કરે છે. ઘણી વાર તો મેડિકલ ટ્રીટમેન્ટ માટે મળસ્કે ૪ વાગ્યા સુધી દર્દીઓને તપાસતાં હોય છે. કામ પૂરું કરીને જ પોતાના ઘરે જતાં હોવાથી ઘણા દર્દીઓ આવતા હોય છે. પ્રજ્ઞાબહેનને જોકે આ બધાં કામનો થાક નથી લાગતો, હા, સંતોષ જરૂર અનુભવે છે. 

Friday, July 27, 2012

આ ભડવીરે અવકાશમાંથી મોતની છલાંગ લગાવી વિશ્વ રેકોર્ડ બનાવ્યો


મેક્સિકો, તા. ૨૭
ઓસ્ટ્રિયાના ફેલિક્સ બોમગાર્ટનરે પૃથ્વીથી ૧૮ માઇલ (૯૫,૦૪૦ ફૂટ) ઉપર અવકાશમાંથી કોઈ પણ મશીનની મદદ વિના છલાંગ લગાવી એક નવો વિક્રમ સ્થાપ્યો છે. ૪૩ વર્ષીય ફેલિક્સ એક બલૂનની મદદથી કેપ્સ્યુલમાં બેસીને અવકાશમાં પહોંચ્યો હતો. ત્યાર પછી તેણે ૮૬૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુક્ત છલાંગ (પેરાશૂટ ખોલ્યા પહેલા) લગાવી હતી. ત્રણ મિનિટ અને ૪૮ સેકન્ડ સુધી મુક્ત છલાંગ લગાવ્યા બાદ તેણે પેરાશૂટ ખોલ્યો હતો અને ન્યૂ મેક્સિકોના રોઝવેલમાં સફળ ઉતરાણ કર્યું હતું. તેણે લગાવેલી છલાંગનું કુલ અંતર પૃથ્વીથી ઉપર ૨૯ કિલોમીટર હતું.
પડકાર
ફેલિક્સના ટીમ મેમ્બર્સ માટે મોટો પડકાર હતો તેનો ખાસ સૂટ. ફેલિક્સના સૂટમાં જરાય પણ ખામી તેના માટે જોખમ સાબિત થઈ શકે તેમ હતી, કારણ કે વધુ ઊંચાઈએ લોહીના પરિભ્રમણ પર અસર પહોંચે છે, ઉપરાંત ૩૦ કિલોમીટરની ઊંચાઈએ તાપમાન શૂન્યથી નીચે ૭૦ ડિગ્રી હોય છે. ફેલિક્સનું સૂટ અવકાશયાત્રી જેવું જ બનાવાયું હતું. સૂટમાં ખાસ એરપ્રેસર હતું, જેથી શ્વાસ લેવા માટે તેને ઓક્સિજન સપ્લાય મળી રહે.
અનેરાં સાહસ
ફેલિક્સ અગાઉ મલેશિયાના પેટ્રોનાસ ટાવર તથા તાઇવાનની ૧૦૧ માળની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી ચૂક્યો છે. ગત ૧૫મી માર્ચે તેણે ૨૨ કિલોમીટર ઊંચાઈએથી છલાંગ મારી હતી.
૯૫,૦૪૦
ફૂટ ઊંચે અવકાશમાંથી ફેલિક્સે સ્કાય ડાઇવિંગ કર્યું.
૮૬૩
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેલિક્સે ફ્રી ફોલિંગ કર્યું હતું.
૩૭
કિલોમીટર ઊંચાઈથી હવે છલાંગ મારવાની યોજના છે.
૨૫૦૦
વખત ફેલિક્સ વિમાન, હેલિકોપ્ટર્સ
તથા વિવિધ ઇમારતો પરથી છલાંગ લગાવી ચૂક્યો છે.
૫૦ વર્ષથી અતૂટ વિક્રમ
સૌથી વધુ ઊંચાઈ ૧૯.૫ માઇલ (૧,૦૨,૯૬૦ ફૂટ)એથી છલાંગ લગાવવાનો વિક્રમ અમેરિકી હવાઈ દળના ટેસ્ટ પાઇલટ જો કિટિંગરના નામે છે. તેમણે ૧૯૬૦માં ૧૬મી ઓગસ્ટે ન્યૂ મેક્સિકોમાં આ વિક્રમ બનાવ્યો હતો. હાલ ૮૪ વર્ષના કિટિંગર ફેલિક્સના કારનામા દરમિયાન હાજર હતા.
મોતની છલાંગ
રશિયાના પ્યોત્ર ડોલ્ગોવે ૧૯૬૨માં ૯૩,૦૦૦ ફૂટ ઊંચાઈએથી છલાંગ લગાવી હતી, પરંતુ સ્પેસસૂટ ક્ષતિગ્રસ્ત થતાં હવામાં જ તેમનું મૃત્યુ થયું હતું. ઉપરાંત ૧૯૬૬માં અમેરિકી સ્કાય ડાઇવર નિક પિન્ટાનિડા પણ ૫૭,૬૦૦ ફૂટ છલાંગ લગાવ્યા બાદ કોમામાં જતા રહ્યા હતા, કેટલાક મહિનાઓ બાદ તેમનું પણ મૃત્યુ થયું હતું.
ફેલિક્સ એક બલૂનની મદદથી કેપ્સ્યુલમાં બેસીને અવકાશમાં પહોંચ્યો હતો.

નબળી દૃષ્ટિ છતાં વર્લ્ડરેકોર્ડ


લંડન, તા. ૨૭
લંડન ઓલિમ્પિક્સમાં શુક્રવારે તિરંદાજીની ચાર ઇવેન્ટના ક્વોલિફાઇંગ રાઉન્ડ યોજાયા હતા. જેમાં મેન્સ ઇન્ડિવિડયુઅલ, મેન્સ ટીમ, વિમેન્સ ઇન્ડિવિડયુઅલ, વિમેન્સ ટીમની ઇવેન્ટનો સમાવેશ થતો હતો. ક્રિકેટના મક્કા લોર્ડ્ઝ ખાતે યોજાઇ રહેલી તિરંદાજી ઇવેન્ટમાં બે વર્લ્ડરેકોર્ડ બન્યા હતા. આ બંને વર્લ્ડરેકોર્ડ સાઉથ કોરિયાના તિરંદાજે બનાવ્યો હતો. ૭૨ મીટરની ઇન્ડિવિડયુઅલ ઇવેન્ટમાં વર્લ્ડરેકોર્ડ બનાવનારા ઇમ ડોંગ-હ્યુનની સિદ્ધિનું મહત્વ એટલા માટે મહત્વ વધી જાય છે કે તેની દૃષ્ટી નબળી છે. આ કારણે જ હ્યુનનો ઓલિમ્પિક્સની 'બ્લાઇન્ડ' કેટેગરીમં સમાવેશ કરવામાં આવ્યો છે.
તિરંદાજીના ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાઉથ કોરિયાના હ્યુનની સિદ્ધિ
આ શારિરિક નબળાઇને હ્યુને પોતાની વચ્ચે આવવા દીધી નહોતી. રસપ્રદ વાત એ છે કે હ્યુને પોતાનો જ વર્લ્ડરેકોર્ડ તોડયો છે. સાઉથ કોરિયાએ બીજો વર્લ્ડ રેકોર્ડ ટીમ ઇવેન્ટમાં બનાવ્યો હતો. જેમાં પણ હ્યુનનું યોગદાન રહ્યું હતું. હ્યુને આ રેકોર્ડ પોતાના સાથી ખેલાડી કિમ બબમિન, ઓહ જીન હ્યુક સાથે મળી બનાવ્યો હતો.
હ્યુનનું વિઝન ૨૦/૨૦૦ છે
૨૬ વર્ષીય હ્યુનનું વિઝન ૨૦/૨૦૦ છે. જેનો મતલબ એ થાય છે કે કોઇ પર્ફેક્ટ વિઝન ધરાવતી વ્યક્તિની સરખામણીએ તે ૧૦ ગણું ઓછું જોઇ શકે છે. ૨૦૦૪, ૨૦૦૮ની ઓલિમ્પિક્સમાં હ્યુને ગોલ્ડ જીતવામાં સફળતા મેળવી હતી.
ભારત માટે નિરાશા
તિરંદાજીમાં ભારત માટે પ્રથમ દિવસ નિરાશાજનક રહ્યો હતો. દીપિકા કુમારી રેન્કિંગ રાઉન્ડમાં ૬૬૨ પોઇન્ટ સાથે છેક આઠમા,બોમ્બાલ્યા દેવી ૨૨મા અને સ્વુરો ૫૦મા ક્રમે આવી હતી. ટીમ પર્ફોમન્સમાં ભારતે ૧૨ ટીમ વચ્ચે ૯મો ક્રમ મેળવ્યો હતો. મેન્સ વિભાગમાં જયંતા તાલુકદાર છેક છેલ્લો આવ્યો હતો.
ખોટી જાહેરાતથી પ્રેક્ષકો પરેશાનીમાં
લંડન ઓલિમ્પિક્સમાં શુક્રવારે તિરંદાજીની ઇવેન્ટ લોર્ડ્ઝ ખાતે યોજાઇ હતી. ઓલિમ્પિક્સની આયોજન સમિતિએ પોતાની વેબસાઇટમાં એવી જાહેરાત મૂકી હતી કે આ પ્રીલિમનરી રાઉન્ડ હોવાથી તેમાં કોઇ ટિકિટ રાખવામાં આવી નથી. આ નિઃશુલ્ક પ્રવેશ જોઇ સ્ટેડિયમ પહોંચેલા પ્રેક્ષકોને માલૂમમ પડયું કે આયોજન સમિતિથી આ જાહેરાતમાં છબરડો થયો છે. હકીકતમાં આ ઇવેન્ટ માટે ટિકિટ રાખવામાં આવી છે. આ રીતે ખોટી જાહેરાત બદલ પ્રેક્ષકો અને આયોજકો ઘર્ષણમાં મૂકાયા હતા.

Monday, July 23, 2012

लक्ष्मी सहगल-आजाद हिंद फौज की ऑफिसर


नेताजी सुभाष चंद्र बोस की आजाद हिंद फौज में ऑफिसर रह चुकीं स्वतंत्रता सेनानी लक्ष्मी सहगल का सोमवार को निधन हो गया। कुछ दिनों पहले लक्ष्मी सहगल को हार्ट अटैक के बाद कानपुर के एक अस्पताल में भर्ती कराया गया था।

आजाद हिन्द फौज की ऑफिसर तथा 'आजाद हिन्द सरकार' में महिला मामलों की मंत्री रह चुकीं लक्ष्‍मी सहगल मूल रूप से डॉक्टर थीं। सेकंड वर्ल्ड वॉर में उस समय लक्ष्‍मी सहगल प्रकाश में आईं, जब उन्‍हें सुभाष चंद्र बोस ने आजाद हिन्द फौज की 'रानी लक्ष्मी रेजिमेन्ट' की कमांडर बनाया।

लक्ष्मी सहगल ने मद्रास मेडिकल कॉलेज से मेडिकल की शिक्षा ली। इसके बाद वह सिंगापुर चली गईं। बाद में लक्ष्मी सहगल सुभाष चंद्र बोस की आजाद हिंद फौज में शामिल हो गई थीं। लक्ष्मी सहगल जिंदगी के अंतिम सालों तक कानपुर के अपने घर में बीमारों का इलाज करती रहीं। लक्ष्‍मी सहगल को भारत सरकार ने 1998 में पद्मविभूषण सम्‍मान से सम्मानित किया था।

Sunday, July 15, 2012

જોસેફ સ્તાલિનઃ તોફાની છોકરો બની ગયો તાનાશાહ (ટોપ ટેન)


Jun 30, 2012

TOP 10 - રશ્મિન શાહ
સ્તાલિનને ઐયાશીનો શોખ આખી જિંદગી રહ્યો હતો. રશિયાનું શાસન સંભાળ્યા પછી સ્તાલિને સૌથી પહેલું કામ રશિયન વડાની જે સેલેરી નક્કી થઈ હતી એ સેલેરી એક ઝાટકે આઠ ગણી વધારી નાખી હતી. માત્ર આટલું જ નહીં, સ્તાલિને દેશના પ્રથમ ક્રમાંકના જે કોઈ અધિકારીઓ હતા એ બધાની સેલેરી પણ બેથી ચાર ગણી વધારી દીધી હતી
૧૯૨૮થી ૧૯૫૩ સુધી રશિયા પર એકધારી હકૂમત કરનારા જોસેફ સ્તાલિન કદાચ આ વિશ્વના પહેલા એવા ડિક્ટેટર હતા કે જેણે રશિયાને સ્વાભિમાનની ભાષા અને આત્મગૌરવનો સંદેશ શીખવ્યો. સ્તાલિનને અમેરિકાની નીતિમાં સહેજ પણ રસ નહોતો,ભરોસો પણ. જોસેફ સ્તાલિન હંમેશાં કહેતાં કે, "આત્મ-સન્માન એમનું હોય, જેમને પોતાના સંસ્કાર હોય. અમેરિકાની પાસે બધું હોઈ શકે એવું બને પણ તેમની પાસે પોતાના સંસ્કાર નથી અને એ જ કારણે હું અમેરિકાની કોઈ વાતનો વિશ્વાસ કરવામાં માનતો નથી." અમેરિકા અને રશિયા હંમેશાં એકબીજાને પાછળ રાખવાની હોડમાં રહ્યા છે. આ હોડ શરૂ કરાવવામાં જોસેફ સ્તાલિનનો સૌથી મોટો હાથ છે. જોસેફે સત્તા સંભાળી એ પહેલાં અમેરિકા રશિયાની સાથે હરીફાઈમાં ચોક્કસ હતું પણ એ તમામ હરીફાઈમાં અંતમાં જીત તો અમેરિકી સત્તાની જ થતી હતી. જોસેફ સ્તાલિને આ હરીફાઈમાં જીતવાની શરૂઆત કરી, જે અમેરિકાના સન્માનને ખંડિત કરી ગઈ. અમેરિકાએ આ જ કારણે રશિયાની નીતિનો વિરોધ કરીને સ્તાલિનના વિરોધીઓને ઊભા કરવાનું કામ કર્યું હતું.
તોફાની બાળપણ
જોસેફ સ્તાલિનનો જન્મ ૧૮મી ડિસેમ્બર,૧૮૭૮ના રોજ ર્જ્યોજિયાના ગોરી નામના એક નાનકડા ગામડામાં થયો હતો. સ્તાલિનનાં માતા-પિતા ગરીબ હતાં. ખેતમજૂર તરીકે કામ કરતાં અને પોતાનું ગુજરાન ચલાવતાં. સ્તાલિન પોતે કહી ચૂક્યા છે કે "ગરીબાઈથી મનમાં નિરાશાની માનસિકતા જન્મતી હોય છે. આ માનસિકતા જ માણસને આખી જિંદગી ગરીબ રહેવા માટે મજબૂર કરી દેતી હોય છે."
સ્તાલિને ક્યારેય ખુલાસો નથી કર્યો કે તેની આ માનસિકતા કયા કારણસર ડેવલપ થઈ હતી પણ તે હંમેશાં પૈસા ઉડાવવામાં અને એકદમ ઐયાશી સાથે રહેવામાં માનતા હતા. સ્તાલિને પોતાના બચપણમાં ત્રણેક વખત સ્કૂલ બુક્સના પૈસા વાપરી નાખ્યા હતા, જેને કારણે તેને તેના પપ્પાએ બેફામ માર માર્યો હતો. નાનપણમાં સ્તાલિનને ભણવા કરતાં ગુંડાગર્દીમાં બહુ રસ હતો. અનેક વખત તે મારામારી કરી ચૂક્યા હતા. એક વખત તો તેણે પનિશમેન્ટ આપનારા ચર્ચના ફાધરને પણ પથ્થર મારી દીધો હતો. સ્તાલિનનાં આવાં કૃત્યોથી પરેશાન એવાં તેનાં મા-બાપે એ જ ચર્ચની સ્કૂલમાં સ્તાલિનને ભણવા બેસાડી દીધો હતો પણ એ પછી પણ સ્તાલિનમાં કોઈ ફરક ન આવ્યો એટલે છેવટે કંટાળીને એનાં માબાપ સ્તાલિન સાથે તિફિલ્સ નામના ગામમાં રહેવા ચાલ્યાં ગયાં. તિફિલ્સે સ્તાલિનના ભવિષ્યના ઘડતરમાં અને ભવિષ્યને દિશા આપવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તિફિલ્સ એ દિવસોમાં રશિયન ક્રાંતિકારીઓનું વડું મથક હતું એવું કહીએ તો ચાલે. આ ગામમાં માર્ક્સના સિદ્ધાંતોના આધારે તૈયાર કરવામાં આવ્યું હોય એવું ક્રાંતિકારી સાહિત્ય ચોરીછૂપીથી દરેક ઘરમાં પહોંચાડવામાં આવતું હતું. સ્તાલિનના ઘરે પણ એવું સાહિત્ય પહોંચ્યું અને ટાઈમ પાસ કરતાં-કરતાં સ્તાલિને એ સાહિત્ય વાંચવાનું શરૂ કર્યું. બસ, ક્રાંતિનાં બીજની રોપણી અહીંથી થઈ અને સ્તાલિન માટે નવી દિશા ખૂલી.
માર્ક્સનો માર્ગ
જે સ્તાલિન ચૌદ વર્ષની ઉંમર સુધી ઝઘડા કરવામાંથી ઊંચો નહોતો આવતો એ જ સ્તાલિન ૧૯ વર્ષની ઉંમરે માર્ક્સના સિદ્ધાંત પર ચાલતી એક ક્રાંતિકારી સંસ્થામાં મેમ્બર બની ગયો. માર્ક્સના સિદ્ધાંતોમાં આઝાદીની વાત હતી, સ્વતંત્રતાની વાત હતી. આ જ કારણે એ સિદ્ધાંતો સ્તાલિનને અનુકૂળ આવ્યા હતા. સ્તાલિન ક્યારેય કોઈના પગલે ચાલવામાં માનતો નહોતો અને ક્યારેય કોઈનો દોરવ્યો દોરવાય એવો નહોતો. સ્તાલિને આ જ કારણે માર્ક્સવાદી સંસ્થા જોઈન કર્યા પછી પહેલું કામ જર્મન સેના પર હુમલો કરવાનું કર્યું હતું. એ દિવસોમાં કાકેશિયા ગામમાં કપડાંની મીલ ચાલતી હતી, જે મીલનું બધું કપડું જર્મન સૈનિકોના ડ્રેસ બનાવવામાં વપરાતું હતુ. સ્તાલિને બુદ્ધિપૂર્વક આ મીલમાં નોકરી મેળવી અને પછી બધા મીલ કામદારોને ઉશ્કેરી હડતાલ પડાવી દીધી. કાકેશિયામાં હડતાલ પડી કે તરત એની અસરરૂપે રૂસનાં અન્ય શહેરોની મીલોમાં પણ હડતાલ પડવી શરૂ થઈ અને આઝાદીની ચળવળનો વિધિવત્ આરંભ થયો. કાકેશિયાની હડતાલનો પ્રશ્ન હજુ તો પૂરો થયો ત્યાં સ્તાલિને પોતાના માર્ક્સ દળ સાથે તિફિલ્સમાં ચળવળ શરૂ કરી. આ ચળવળના પાંચમા જ દિવસે પોતાનો જીવ બચાવવા સ્તાલિને ગામ છોડીને ભાગવું પડયું હતું. ભાગીને સ્તાલિન બાતુમ નામના ગામમાં ગયો પણ ક્રાંતિનો રંગ તેને એવો લાગ્યો હતો કે તે ક્યાંય શાંત રહી શકતો નહોતો. બાતુમમાં જર્મન કેમ્પ પર તેણે હેન્ડગ્રેનેડથી હુમલો કર્યો, જેમાં ચૌદ સૈનિકોનાં મોત થયાં અને એ બધાને જેલમાં ધકેલી દેવાયા. અલબત્ત, અહીંથી પણ સ્તાલિન ભાગ્યો અને તેણે પોતાનું કામ આગળ ધપાવ્યું. પોતાનાં આ ક્રાંતિકારી કામો દ્વારા સ્તાલિને બે વખત જર્મન સેનાને હરાવી હતી અને બંને વખત ખાર્કોવ નામનો એરિયા સ્વતંત્ર કરાવ્યો હતો. સ્તાલિનનું ખુન્નસ જોઈને માર્ક્સ દળોમાં પણ હિંમત પ્રસરી ગઈ અને તેણે પણ બીજાં રાજ્યો અને પ્રાંતમાં ચળવળનું જોર વધારી દીધું. ફાઈનલી ૧૯૨૨માં સોવિયત સમાજવાદી ગણરાજ્યોને એક કરીને સંઘ બનાવવામાં આવ્યો, જેની કેન્દ્રીય સમિતિમાં સ્તાલિનને પણ સામેલ કરવામાં આવ્યા. સ્તાલિન માટે આ ઉપલબ્ધિ કંઈ નાનીસૂની નહોતી, કારણ કે જે છોકરો શાંતિથી ભણતો નહોતો એ જ છોકરો આજે રૂસના ભવિષ્યનું ગઠબંધન કરનારી મંડળીમાં મહત્ત્વના પદ પર બિરાજમાન હતો.
શરૂ થઈ સત્તાની સાઠમારી
સોવિયત સંઘના ગઠબંધન પછી શરૂ થયેલી સત્તાની સાઠમારીમાં લેનિન અને ટ્રોટસ્કી ઇચ્છતા હતા કે આ સંઘને એક રાષ્ટ્ર બનાવવામાં આવે, જે આજના રશિયા જેવું હોય. સ્ટાલિન પણ આ વાતના હિમાયતી હતા પણ તેને લાગતું હતું કે અત્યારના તબક્કે એ ચર્ચા કરવાને બદલે બનેલા સંઘને સમૃદ્ધ કરવો જોઈએ. ટ્રોટસ્કી અને લેનિન સાથે વિખવાદ થયા પછી એક તબક્કે સ્તાલિન ગઠબંધનની કમિટીમાંથી નીકળી જવાની તૈયારીમાં જ હતા પણ એ જ દિવસોમાં લેનિનને પેરાલિસિસ થતાં સ્તાલિને રોકાવું પડયું. ૧૯૨૪માં લેનિનનું મોત થયું પણ એ મોત પહેલાં લેનિનને સ્તાલિનની વાત સમજાઈ ગઈ હતી અને એટલે જ તેમણે પોતાના મૃત્યુ પછી સ્તાલિનને સત્તાનો વારસદાર ઘોષિત કર્યો. અલબત્ત, એ પછી પણ એટલે કે લેનિનના મોત પછી સ્તાલિનને સત્તા મળી નહીં અને ટ્રોટસ્કી સત્તા પર ગોઠવાઈ ગયા. ટ્રોટસ્કી પાસેથી સત્તા પાછી લેવામાં સ્તાલિનને ચાર વર્ષ લાગ્યાં અને ૧૯૨૮માં તેણે સત્તા હાંસલ કરી રશિયાના નેતા બન્યા. સત્તા મેળવ્યા પછી સ્તાલિને લેનિનના સપનાનું રશિયા ઘડવાનું શરૂ કર્યું. ભારતીય રાજકારણ હંમેશાં લેનિન અને સ્તાલિનની નીતિથી પ્રભાવિત રહ્યું છે. ભારતમાં જે પંચવર્ષીય યોજનાની પ્રથા રહી છે એ પ્રથા હકીકતે તો સ્તાલિનની પંચવર્ષીય યોજનાની સીધી ઉઠાંતરી છે, એવું કહેવામાં સહેજ પણ ખોટું નથી. સ્તાલિને રશિયા માટે કરેલાં કામો એ હદે ઉમદા હતાં કે તેના દાખલાઓ યુનોમાં પણ દેખાતાં હતાં. 
મોતનો ભય અપરંપાર
સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે જે સ્તાલિનને મોતનો કોઈ ડર નહોતો એ જ સ્તાલિનને સત્તા પર આવ્યા પછી મોતનો ડર પેસી ગયો હતો. પોતાના કાર્યકાળ દરમિયાન સ્તાલિને પોતાના મોતના પ્લાનિંગ કરવાના ગુનાના આરોપસર સોથી વધુ વ્યક્તિઓને ફાંસીની સજા ફટકારી હતી. ૧૯૩૭માં તેણે પોતાની જ સરકારના ૧૩ મિનિસ્ટર સામે આ સંદર્ભનો કેસ દાખલ કરી એ તમામ મિનિસ્ટરોને મોતની સજા ફટકારી હતી. એ સમયે દુનિયાભરમાં દેકારો બોલી ગયો હતો. સ્તાલિનને મોતની એ હદે બીક પેસી ગઈ હતી કે તે રાતે રૂમમાં પણ એકલો સૂતો નહોતો. પમી માર્ચ, ૧૯૫૩ના તેનું હાર્ટએટેકથી મોત થયું. મરતાં પહેલાં તેણે આ મોતની શંકા વ્યક્ત કરી હતી એટલે રશિયન સરકારે સ્તાલિનના મોતની ઇન્ક્વાયરી આઠ વર્ષ સુધી ચલાવી હતી. જોકે એ મોત કુદરતી જ પુરવાર થયું હતું.
સ્તાલિનનાં કુચ્ચારણો
* એક સારો વિચાર ગનથી પણ વધુ પાવરફુલ હોય છે અને એટલે જ દુશ્મનને મારવા માટે હું ગનનો નહીં, વિચારનો હિમાયતી છું.
* આગળ વધવા માટે જો કોઈના પર ચડાઈ કરવાની હોય તો એ ચડાઈ વાજબી છે, ચડાઈ કર્યા પછી જો કોઈને મોત આપવાનું હોય તો એ મોત આપવું પણ જરૂરી છે.
* ઘરે આવેલાનો સત્કાર જેમ એક ધર્મ છે એમ યુદ્ધના મેદાનમાં મળેલાને ગોળી આપવી એ પણ એક સત્કાર છે.

Wednesday, July 11, 2012

ગાંધીજીને 'રાષ્ટ્રપિતા'નો સત્તાવાર ખિતાબ અપાયો નથી : સરકારનો ખુલાસો


ગુડગાંવ : 11, જૂલાઈ
ગાંધીજીને સરકાર દ્વારા ક્યારેય સત્તાવાર રીતે 'રાષ્ટ્રપિતા'નો ખિતાબ આપવામાં આવ્યો નથી તેવી સ્પષ્ટતા સરકાર દ્વારા કરવામાં આવી છે. આરટીઆઈ એક્ટ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રનાં ગૃહમંત્રાલય દ્વારા આવો ખુલાસો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ૧૮ જૂને આરટીઆઈ હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ડિરેક્ટર એન્ડ સેન્ટ્રલ પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર શ્યામલ મોહને જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી'રાષ્ટ્રપિતા' તરીકે ખ્યાતિપ્રાપ્ત હતા. લોકો તેમને સન્માનનીય રીતે રાષ્ટ્રપિતા તરીકે નવાજતાં હતાં પણ સરકાર દ્વારા તેમને ક્યારેય સત્તાવાર રીતે આવો દરજ્જો અપાયો નહોતો.
સામાજિક કાર્યકર અભિષેક કાદયાન દ્વારા ગૃહમંત્રાલયને ૨૧ મે ૨૦૧૨ના રોજ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. અભિષેક કાદયાન એનિમલ રાઇટ્સ સાથે સંકળાયેલ એનજીઓના સલાહકાર પણ છે.
અગાઉ લખનૌની છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઐશ્વર્યા પરાશર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ આ જ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે ગૃહમંત્રાલયે તેની અરજી નેશનલ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયાને મોકલી હતી, જેણે એવો જવાબ આપ્યો હતો કે તેની પાસે આવો કોઈ નક્કર દસ્તાવેજ નથી કે જેના પરથી માહિતી આપી શકાય.

Tuesday, July 10, 2012

Greatest Indian

http://www.historyindia.com/TGI/



Lata Mangeshkar
Lata Mangeshkar
A B Vajpayee
A B Vajpayee
Dr. B R Ambedkar
Dr. B R Ambedkar
Sachin Tendulkar
Sachin Tendulkar
A P J Abdul Kalam
A P J Abdul Kalam
Indira Gandhi
Indira Gandhi
Jawaharlal Nehru
Jawaharlal Nehru
Mother Teresa
Mother Teresa
Vallabhbhai Patel
Vallabhbhai Patel

Monday, July 9, 2012

આ રહી ગુજરાતણ જે માત્ર દૂધ વેચીને બની છે કરોડપતિ

 

Jul 08, 2012

વડોદરા, તા. 08

સાબરકાંઠા જિલ્લાના પેંટરાપુરાની રમીલાબેન પટેલ માત્ર અને માત્ર દૂધ વેચીને કરોડપતિ બની ગઈ છે. 12 વર્ષ અગાઉ જ્યારે વધારાની આવક માટે દૂધ ઉત્પાદન શરૂ કર્યું ત્યારે  કોઈએ પણ નહોતું વિચાર્યું હોય કે આ નાનકડો આઈડિયા તેમનું ભાગ્ય બદલી દેશે. તેમની સફળતાનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે વર્ષ 2011-12માં તેમનો ચોખ્ખો નફો એક કરોડ 10 લાખ 17 હજાર 675 રૂપિયા હતો.

43 વર્ષીય રમીલાબેન કદી પણ કૉલેજ નથી ગયાં પરંતુ પોતાની મહેનતના બળ પર આજે લોકો માટે જીવંત ઉદાહરણ બની ગઈ છે. પેંટારપુરા સ્થિત તેમનાં ડેરી ફાર્મમાં દર વર્ષે 5.55 લાખ લિટર દૂધનું ઉત્પાદન થઈ રહ્યું છે. વર્ષ 2000માં તેઓ ગામની એક સહકારી દૂધ મંડળી સાથે જોડાયા હતા.

બેંક લોન લઈને પાંચ ગાયો ખરીદી અને નાના પાયે દૂધનું ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે તેઓ પાંચ એકરમાં ફેલાયેલા રણછોડ દૂધ ઉત્પાદન કેન્દ્રને સારી રીતે ચલાવે છે. તેમની પાસે હાલ 280 દૂધાળા પશુઓ છે. વધારાની આવક માટે કરાયેલ એક નાનકડી પહેલ હવે તેમનાં પરિવારનો મુખ્ય વ્યવસાય બની ગયો છે. સાથે રમીલા બેન  ઘણાં લોકોને રોજગારી પણ પૂરી પાડે છે. તેમની પાસે દૂધ દોહવા માટે અત્યાધુનિક ચાર ઑટોમેટિક મશીનો પણ છે.

Sunday, July 8, 2012

The Tallest Man of America

Junrey Balawing, Shortest man in the World


This little fella’s name is Junrey Balawing. He is 17 years old but looks like a one-year-old toddler standing at a mere 22 inches.
He lives in Philippines and has three other siblings who are of normal size. Despite the fact that Junrey needs
some help to walk and can’t stand for too long because of the pain, the young man never loses his smile. In June when he turns 18,
 Junrey is expected to get the title of the world’s smallest man according to the Guinness World Records.


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos


Click here to join nidokidos
World's Shortest Man

Introducing Junrey Balawing - the world's new shortest man.  
Meet him