Wednesday, November 28, 2012

યાદ કરો કુરબાની: કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા યુવાનની હૃદય દ્રાવક કહાણી

નવી દિલ્હી, તા. 28

કારગિલ યુદ્ધમાં શહીદી વહોરેલા કેપ્ટન સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓની સાથે પાકિસ્તાન સેનાના અમાનવીય વ્યવહારનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે. શહીદ કેપ્ટન સૌરભને ન્યાય અપાવવા માટે 13 વર્ષથી જજૂમી રહેલા તેના પિતા હવે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવવા જઈ રહ્યા છે તેમજ તેઓ સરકારને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં ધ્યાન આપવાનું કહેશે.

સીએસઆઈઆરમાંથી નિવૃત્ત થયેલા સાઈન્ટિસ્ટ એન.કે. કાલીયાની લડાઈ હવે નિર્ણાયક તબક્કામાં આવી ગઈ છે. તેમને કદાચ એ વાતનું દુખ ન થયું હોત કે તેમનો પુત્ર યુદ્ધ મેદાનમાં માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયો છે પરંતુ દુશ્મનોએ એવું ઘૃણાસ્પદ કૃત્ય આચર્યું કે તેઓ 13 વર્ષ પછી પણ વ્યથિત છે. કારગિલ યુદ્ધ પછી સૌરભ કાલિયા અને તેના પાંચ સાથીઓનાં શબ પાકિસ્તાને પરત કર્યા ખરા પરંતુ સંપૂર્ણ ક્ષત-વિક્ષત હાલતમાં.

સૌરભની માતાની માગ છે કે વિદેશ મંત્રાલય અને ગૃહમંત્રાલય ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસને માગ કરે કે કેપ્ટન કાલીયા પર પાકિસ્તાનમાં થયેલા અમાનવીય વ્યવહારોનો ખુલાસો કરે, કારણ કે પાકિસ્તાને જીનેવા કન્વેંશનનું ઉલ્લંઘ કર્યું છે. સૌરભની માતા વિજયા કાલિયાએ વધુમાં કહ્યું કે તેઓ 13 વર્ષથી અન્યાય સહી રહ્યા છે. અમે આખરે સુપ્રીમ કોર્ટમાં જઈશું અમને આશા છે કે ત્યાં ન્યાય જરૂર મળશે.

તેમને આરોપ છે કે સરકાર શહીદોની સાથે થયેલા અમાનવીય વ્યવહારને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઊઠાવવામાં નિષ્ફળ રહી છે, પરંતુ કેસ સુપ્રીમ કોર્ટમાં ગયા પછી હવે સરકાર કાલીયા પરિવારને ન્યાય અપાવવાનો ભરોસો અપાવી રહી છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુરશીદ અનુસાર જે શક્ય બનશે તે કાલીયા  કેસમાં કરાશે. હકીકતમાં આ એક દુખદ કહાણી કહેવાય. કાલીયા પરિવારનો આરોપ હતો કે તેમને ત્યારે પણ ન્યાય નહોતો મળ્યો માત્ર વાયદા જ. જો કે ત્યારે વિદેશ મંત્રી રહેલા જસવંત સિંહે આ મુદ્દે વાતચીત ચાલુ હોવાની જ વાત કરી હતી. આ કેસને ઈન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ઊઠાવવો જોઈએ. માત્ર એક સૈનિકની જ નહીં પરંતુ છ સૈનિકોનો સવાલ છે.

આ દાવાઓની હકીકત કંઈક એવી છે કે સૌરભા કાલીયા અને તેના પાંચ સાથીઓને આજે પણ ન્યાયની જરૂર છે. નહીંતર સૌરભના પિતા કોર્ટના દ્વારે ન જાય. સમગ્ર દેશમાંથી સૌરભના પિતાને દોઢ લાખ લોકોએ ઈ-મેઈલ કરીને નૈતિક સમર્થન આપ્યું છે આ ઉપરાંત આશરે 43 હજાર લોકોએ તેમને પત્ર પાઠવીને તેની પડખે હોવાનો ખાતરી આપી છે. 

Sunday, November 25, 2012

મિસ ક્ઝેચ રિપબ્લિકે મિસ અર્થ ૨૦૧૨નો તાજ જીત્યો


મનીલા, તા. ૨૫
મિસ અર્થ ૨૦૧૨નો તાજ મિસ ક્ઝેચ રિપબ્લિક ટેરેઝા ફાજકસોવાનાં માથે પહેરાવવામાં આવ્યો હતો. ફિલિપાઇન્સનાં મનીલામાં યોજવામાં આવેલી આ સ્પર્ધામાં મિસ ફિલિપિન્સ સ્ટેફની સ્ટિફાનોવિઝને મિસ અર્થ એર, મિસ વેનેઝુઆલા ઓસ્મારિયલ વિલાલોબોસને મિસ અર્થ વોટર અને મિસ બ્રાઝિલ કેમિલા બ્રેન્ટને મિસ અર્થ ફાયર જાહેર કરવામાં આવી હતી.
ભારતનું પ્રતિનિધિત્વ કરતી પ્રાચી મિશ્રાને ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું
એક મહિનાથી વધુ સમય માટે ચાલેલી આ પ્રતિયોગિતામાં ૮૦ સભ્યોએ મિસ અર્થનો તાજ પ્રાપ્ત કરવા સખત પ્રયાસો કર્યા હતા. આ સ્પર્ધામાં ભારત તરફથી પ્રાચી મિશ્રાએ પણ ભાગ લીધો હતો અને તેમને મિસ અર્થ ૨૦૧૨માં ફ્રેન્ડશિપનું સબટાઇટલ અપાયું હતું. એવોર્ડ સમારંભની શરૃઆતમાં બિલી ક્રોફર્ડે શાનદાર પર્ફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમ પહેલાં કેટલાક દેશોને અનુકરણીય યોગદાન માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. ઓનલાઇન ફોટોજેનિક સ્પર્ધામાં મિસ વેનેઝુએલા ૨૫,૬૬૭ વોટ સાથે પ્રથમ, મિસ થાઈલેન્ડને ૨૨,૩૨૬ વોટ મળ્યા હતા અને તે બીજા સ્થાને આવી હતી.
નેશનલ કોસ્ચ્યુમ કોમ્પિટિશનમાં મિસ થાઈલેન્ડને ગોલ્ડ મેડલ, મિસ સાઉથ આફ્રિકાને સિલ્વર અને મિસ મલેશિયાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. સાંજે ગ્રૂપ ૩ની યોજાયેલી સ્પર્ધામમાં મિસ નોર્વેને બ્રોન્ઝ, મિસ થાઇલેન્ડને સિલ્વર અને મિસ ગુટેમાલાને ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો હતો, જોકે આખરે મિસ ક્ઝેચ રિપબ્લિકનાં માથે મિસ અર્થ ૨૦૧૨નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.

Monday, November 19, 2012

જસપાલ લોકોને ‘જગાડવા’ માટે હસાવતા હતા


એકસ્ટ્રા કોમેન્ટ  - કૃષ્ણકાંત ઉનડકટ.
જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા. એ એક એવા સોશિયલ એક્ટિવિસ્ટ હતા, જેનું શસ્ત્ર હાસ્ય હતું હકીકતે જે વાત પર રડવું જોઈએ એના પર એ હસી અને હસાવીને એવો મેસેજ આપતાં હતા કે બધુ ખાડે જઈ રહ્યું છે, કોઈક તો આ સુધારવા માટે પ્રયત્ન કરો !
‘પાવર કટ’ના પ્રમોશનમાંથી પાછા ફરતી વખતે પંજાબના જલંધર નજીક કાર ઝાડ સાથે અથડાઈ અને સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર જસપાલ ભટ્ટીએ ઓચિંતી એક્ઝિટ લઈ લીધી. આ શુક્રવારે (આજે) જ તેની ફિલ્મ ’પાવર કટ’ રિલીઝ થવાની હતી. જસપાલ ભટ્ટી એવા ઝિંદાદિલ માણસ હતા કે જો મરતાં પહેલા એને થોડુંકેય ઓન સ્ક્રીન બોલવા મળ્યું હોત તો કદાચ એવું જ કહેત કે, યે તો ‘પાવર કટ’ રિલીઝ હોને સે પહેલે હી મેરી લાઈફકા પાવર કટ હો ગયા !
એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે કે ફિલ્મ રિલીઝ થાય એ પહેલાં જ કોઈની વિદાય થઈ જાય. યશ ચોપરાની ફિલ્મ ’જબ તક હૈ જાન’ દિવાળી પર રિલીઝ થાય એ પહેલાં તેઓ ચાલ્યા ગયા. તેની પાછળ જ જસપાલ ભટ્ટી ગયા. જસપાલ ભટ્ટીનું ચાલ્યું તો એ ઉપર જઈને ભગવાનને પણ હસાવશે કે આવું કરવાનું? યશ ચોપરાને તો ફિલ્મ રિલીઝના ૨૪ દિવસ પહેલા બોલાવ્યા અને મને તો મારી ફિલ્મ રિલીઝ થાય એના આગલા દિવસે જ ઉપાડી લીધો ! ભગવાન, તમારો કંઈ ફિલમ-બિલમ બનાવવાનો પ્લાન નથી ને ? રોમાન્સના કિંગ પછી કોમેડીના કિંગને બોલાવી લીધો!
જસપાલ ભટ્ટી જિંદગીની તમામ કરુણતાઓ ઉપર હળવા દિલે વ્યંગ કરતા હતા. એ એવું બોલતા કે તમને હસવું ચોક્કસ આવે પણ સાથોસાથ દિલમાં એકાદો છદ્ધકો પણ પડે ! ભ્રષ્ટાચાર અને મોંઘવારી તેના ફેવરિટ સબજેકટ હતા. કોમેડી દ્વારા તેઓ નેતાઓના કાન ખેંચતા અને આંખ ખોલવાનો પ્રયત્ન કરતા જસપાલ ભટ્ટી માત્ર હાસ્ય કલાકાર ન હતા પણ એક એવા તાક્તવર સોશિયલ એક્ટિવિસ્ટ હતા જે લોકોને ’જગાડવા’ માટે હસાવતા હતા.
અત્યારે મોટા ભાગની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન ચેનલ્સ પર કોઈને કોઈ પ્રકારના કોમેડી શો આવતા રહે છે, એનું સ્તર એકદમ ઘટિયા અને થર્ડકલાસ છે. વલ્ગારિટી અને દ્વિઅર્થી ભાષાથી લોકોને હસાવવાનો વાહિયાત પ્રયાસ થાય છે, તેની સામે જસપાલ ભટ્ટીએ આજથી ત્રીસ વર્ષ પહેલા દૂરદર્શન પર ’ફલોપ શો’ અન ‘ઊલટા પુલટા’ નામની કોમેડી સિરિયલ આપી હતી. લોકોના દિલોની વેદના એ બખૂબી ટચૂકડા પડદે હાસ્ય વેરીને બતાવતા હતા. લોકોને જગાડવાનો અને નેતાઓને સુધારવાનો તેનો પોતાનો રસ્તો હતો. આજના કોમેડી શોના બનાવનારાઓએ એક વખત જસપાલના શો જોઈ લેવાની જરૂર છે, હાસ્ય કેવું નિર્મળ અને નિર્ભેળ હોવું જોવું જોઈએ એ તેમને સમજાઈ જશે. જસપાલની એક કલબનું નામ નોનસેન્સ કલબ હતું, એ વાત જુદી છે કે તેની દરેક નોનસેન્સમાં એક અનોખી સમજ અને સેન્સ ઓફ હ્યુમર ઠાંસી ઠાંસીને ભરી હતી.
જસપાસ ભટ્ટી કાર્ટૂનિસ્ટ હતા. ‘ટ્રિબ્યુન’ અખબાર માટે કાર્ટૂન દોરતા. પત્ની સવિતા ભટ્ટી તેની જોડીદાર નંબર વન રહી છે. જસપાલ અને સવિતાને સ્ક્રીન પર લડતાં જોઈને જ બધાને મોજ પડી જતી. પંજાબીમાં બનેલી તેની દરેક ફિલ્મમાં કોઈને કોઈ સામાજિક મુદ્દાને લઈને તેઓ બરાબરની ફીરકી લેતા. તેની દરેક વાતમાં એક તર્ક હતો અને દરેક વ્યંગમાં એક મર્મ હતો. તેની વેબસાઈટ જસપાલ ભટ્ટી ડોટ કોમ પર એ બ્લોગ લખતા, આ બ્લોગને તેણે નામ આપ્યું હતું, સિરિયસલી ફની બ્લોગ, તેની એક્ટિંગ સ્કૂલનું નામ છે મેડ આર્ટ ફિલ્મ સ્કૂલ. તેના જીવનનો મંત્ર હતો કે સિરિયસમાં સિરિયસ કામ જો હળવાશથી કરાય તો જ સફળ થાય ! ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવેલા આ વ્યક્તિ પાસે એવું એન્જિનિયરિંગ હતું જે લોકોના ચહેરા પર પ્રકાશ ફેલાવી દેતું હતું અને રાજકારણીઓને કરંટ આપતું હતું !
( ‘સંદેશ’, તા.26 ઓકટોબર,2012. શુક્રવાર. ‘એકસ્ટ્રા કોમેન્ટ’ કોલમ )

Aishwarya Rai Bachchan receiving French honour



 Aishwarya Rai Bachchan gets French honour
Aishwarya Rai was conferred upon a civilian award by the French government for her contribution to the arts on the occasion of her birthday.

watch the ceremony video

Monday, November 5, 2012

OPRAH IN INDIA!


http://couturerani.com/wp-content/uploads/2012/01/PhotoDetail.jpeg
Talk show host Oprah Winfrey was in India last week to film her new series
 Oprah’s Next Chapter and had quite the whirlwind trip: she was feted by 
Bollywood celebrities at a party thrown in her honor in Mumbai, visited 
the slums in Colaba, met with fashion designer Sabyasachi, attended a 
literary festival in Jaipur, had dinner with the Jaipur Royal family and 
squeezed in a trip to visit the Taj Mahal in Agra!
In an interview with CNN/IBN Oprah said of her trip, “What I have learned is, 
you can’t see India in a week.” “You can’t see India in two weeks … 
India is so complex, I would have to say it’s the greatest show on Earth. 
I have never seen anything like it. India, I’ll be back again and again.”
http://couturerani.com/wp-content/uploads/2012/01/280311xcitefun-oprah-winfrey-india-2.jpeg
http://couturerani.com/wp-content/uploads/2012/01/bachchan_big_5-1.jpeg

Oprah made her way to a party thrown in her honor in Mumbai with 
Amitabh, Abhishek and Aishwarya Rai Bachchan
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprahinsari3.jpeg
Oprah wore an orange, fuschia and gold sari by designer Tarun Tahiliani to the party
http://couturerani.com/wp-content/uploads/2012/01/280312xcitefun-o

prah-winfrey-india-1.jpeg
Oprah with Bollywood actors Shah Rukh Khan and Lara Dutta
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-parmeshwar.jpeg
Oprah with actor Hrithik Roshan, his wife Suzanne and her family
http://couturerani.com/wp-content/uploads/2012/01/PhotoDetail-3.jpeg
Oprah visited the slums in Colaba with Shantaram writer Gregory David Roberts
http://couturerani.com/wp-co

ntent/uploads/2012/01/402700_336248823060158_172689552749420_1315424_563376493_n.jpeg
Oprah seemed to have learned quickly of the who’s who of Indian fashion and 
paid a visit to designer Sabyasachi Mukherjee at his studio in Mumbai
Bhaveet. R. Chudasama®

http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-afp31.jpeg
Oprah wore a Sabyasachi kurta to attend a literary festival in Jaipur
http://couturerani.com/wp-content/uploads/2012/01/oprah-in-jaipur1.jpeg
Oprah later wore a Sabyasachi sari to attend a dinner hosted by 
Maharani Padma Devi and the Jaipur Royal family

Thursday, November 1, 2012

સ્પેનના રંગીલા રાજા જુઆન કાર્લોસ


દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ.
સ્પેન અને ઇન્ડિયા વચ્ચેના આર્થિક સંબંધો વધુ સુદૃઢ થાય તે માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસે ગયા અઠવાડિયે ભારતની મુલાકાત લીધી. સ્પેનમાં લોકતંત્રને ટકાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવનાર રાજા જુઆન કાર્લોસ અત્યારે પોતાના દેશને યુરોઝોનની કટોકટીમાંથી બહાર લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. રાજા જુઆન કાર્લોસનું જીવન રંગીન રહ્યું છે. તેના નામ સાથે સતત વિવાદો જોડાયેલા રહ્યા છે. તેના વિશે એવું કહેવાય છે કે તેણે ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ ભોગવ્યું છે. લેડી ડાયના સાથે પણ તેને લફરું હતું તેવી વાત છેક હમણાં બહાર આવી છે. નાના ભાઈના ભેદી મોતથી માંડી હાથીના શિકાર પ્રકરણમાં રાજાનું નામ ગાજ્યું છે. ઢગલાબંધ વિવાદો છતાં ૭૪ વર્ષના આ રાજા આખા સ્પેનમાં હજુ પણ એવા ને એવા લોકપ્રિય છે.
સ્પેનના રંગીલા રાજા જુઆન કાર્લોસ ગયા અઠવાડિયે ભારતની ચાર દિવસની મુલાકાતે આવી ગયા. તેમની મુલાકાતનો મુખ્ય હેતુ ભારત અને સ્પેનના આર્થિક સંબંધો વધુ સુદૃઢ બનાવવાનો હતો. યુરોઝોનની કટોકટી પછી સ્પેનની હાલત કથળી છે. સ્પેનનું રેટિંગ ડાઉન કરાયું ત્યારે આખી દુનિયામાં ખળભળાટ મચ્યો હતો. દેશની હાલત સુધારવા માટે સ્પેનના રાજા જુઆન કાર્લોસ ૭૪ વર્ષની ઉંમરે પણ દોડાદોડી અને ઉડાઉડી કરે છે.
સ્પેન ઇચ્છે છે કે ભારતના ઉદ્યોગપતિઓ તેના દેશમાં રોકાણ વધારે અને બંને દેશો વચ્ચેના વેપારમાં વધારો થાય. ૨૦૧૧ના વર્ષમાં ભારત અને સ્પેન વચ્ચેનો વેપાર પાંચ અબજ અમેરિકન ડોલરનો હતો, જે ૨૦૧૦ના વર્ષની સરખામણીએ ૧૮ ટકાનો વધારો બતાવતો હતો. ભારતમાં સ્પેનના ઉદ્યોગપતિઓનું રોકાણ ૧.૩ અબજ અમેરિકન ડોલર જેટલું છે. જેની સામે સ્પેનમાં ભારતના ઉદ્યોગપતિઓનું રોકાણ ૬૦.૫ કરોડ યુરોથી વધુ છે. સ્પેનને આર્થિક કટોકટીમાંથી બહાર કાઢવા માટે ભારત મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે તેવું સ્પેનના રાજા જુઆન કાર્લોસ માને છે. ભારત અને સ્પેન વચ્ચે માળખાકીય સુવિધા, વાહનવ્યવહાર અને ઊર્જા ક્ષેત્રે આર્થિક વ્યવહારો વધે તેમાં બંને દેશોને ફાયદો છે.
જુઆન કાર્લોસ એક એવા રાજા છે જેને મોટાભાગના સ્પેનવાસીઓ પ્રેમ કરે છે. સ્પેનમાં લોકતંત્રની સ્થાપના અને લોકતંત્રના મજબૂત અસ્તિત્વ માટે તેમની ભૂમિકા મહત્ત્વની રહી છે. ૩૧ વર્ષ પહેલાં ૨૩મી ફેબ્રુઆરી, ૧૯૮૧ના રોજ સ્પેનમાં લશ્કરી બળવો થયો હતો. આ સમયે રાજા જુઆન કાર્લોસે રાષ્ટ્રજોગ વાયુ પ્રવચન કરી લોકોને વિશ્વાસમાં લઈ બળવો નિષ્ફળ બનાવ્યો હતો. નવેમ્બર ૨૦૦૫માં સ્પેનના ’અલ મુન્ડો’ અખબાર દ્વારા રાજા જુઆન કાર્લોસની કામગીરી અંગે પ્રતિષ્ઠા માપવા એક સર્વે કરાયો હતો. તેમાં ૭૭.૫ ટકા સ્પેનવાસીઓએ કહ્યું હતું કે રાજાની કામગીરી બહુ સારી (વેરી ગૂડ) છે. ૧૫.૪ ટકાએ કહ્યું કે ઠીક ઠીક છે. (નોટ સો ગૂડ) માત્ર ૭.૧ ટકા લોકોએ જ કહ્યું હતું કે કામગીરી સારી નથી. (વેરી બેડ) . અલબત્ત, આ સર્વે પછી રાજાની રંગરેલિયાની જે વાતો બહાર આવી છે તેણે સ્પેન સહિત આખી દુનિયાનાં મીડિયાને જબરદસ્ત મસાલો પૂરો પાડયો છે. અમુક ટેબ્લોઈડ ન્યૂઝ પેપર્સે તો તેને ’સિરિયલ વુમનાઈઝર’ પણ કહ્યા છે.
ગુજરાતીમાં એક કહેવત છે, ‘રાજા, વાજાં અને વાંદરાં.’ નાના હતા ત્યારે વાર્તાઓ વાંચતા અને સાંભળતા. મોટા ભાગની વાર્તાઓ એવી રીતે શરૂ થતી કે એક હતો રાજા… પછી રાજા કેવો હતો તેની વાતો ચાલતી. રાજાઓ વિશે એક એવી છાપ છે કે રાજાઓ રંગીન મિજાજના હતા. હવે દુનિયાના બહુ ઓછા દેશોમાં રાજાશાહી બચી છે. અલબત્ત, ઘણા દેશોમાં લોકતંત્ર હોવા છતાં બંધારણીય રાજાશાહીનો સ્વીકાર કરાયો છે અને રાજાને દેશમાં માન-મરતબો અને આર્થિક મદદ મળે છે. રાજાઓ પણ દેશને બને તેટલી મદદ કરતા રહે છે. ખાસ તો જે તે દેશના લોકો માટે રાજા, રાણી, રાજાશાહી અને રજવાડાંઓનાં નખરાં હંમેશાં રસનો વિષય રહ્યાં છે. એમાંયે સ્પેનના આ રાજા જુઆન કાર્લોસની વાત તો બધા જ રાજાઓ કરતાં નિરાળી છે.
સ્પેનના રાજા જુઆન કાર્લોસના એ સમાચાર આખી દુનિયામાં ફ્રન્ટ પેજ ન્યૂઝ બન્યા હતા કે જુઆન કાર્લોસે અત્યાર સુધીમાં ૧૫૦૦થી વધુ યુવતીઓ સાથે શય્યાસુખ માણ્યું છે. રાજા પોતાની તાકાત બરકરાર રાખવા માટે શક્તિવર્ધક દવાઓનાં ઈંજેક્શન લે છે અને જુવાન દેખાવા એન્ટિ એજિંગ ટ્રિટમેન્ટ કરાવે છે તેવા સમાચાર છાશવારે ચમકતા રહ્યા છે.
આટલું ઓછું હોય તેમ બાર્સેલોનાના લેખક પિલર આયરે પોતાના પુસ્તકમાં રાજા જુઆન કાર્લોસ વિશે એક નવો ધડાકો કર્યો. તેણે લખ્યું કે રાજા જુઆન કાર્લોસને બ્રિટનની લેડી ડાયના સાથે લફરું હતું. ડાયના અને જુઆન કાર્લોસનું અફેર ૧૯૮૦માં શરૂ થયું હતું. ડાયના પતિ પ્રિન્સ ચાર્લ્સ સાથે રજા ગાળવા અમેરિકા ગયાં હતાં. પ્રિન્સ ચાર્લ્સ તો શિકાર કરવા ચાલ્યા જતા. લેડી ડાયનાને શિકાર કરવા જવું ગમતું નહીં એટલે એ મહેલમાં જ રોકાતાં. આ સમયે એ અને જુઆન કાર્લોસ વચ્ચે સંબંધો બંધાયા હતા.ળ૧૯૮૭માં લેડી ડાયના સ્પેનના મેડ્રિડ ગયાં ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં ડાયનાના હાથ પર કિસ કરી લીધી હતી. અલબત્ત, એ સિવાય બંને વચ્ચેના સંબંધોની વાત બહાર આવી નથી. જો કે એવી વાત ચોક્કસ બહાર આવી હતી કે રાજા જુઆન કાર્લોસને તેની પત્ની સોફિયા સાથે છેલ્લાં ૩૫ વર્ષોથી શારીરિક સંબંધો નથી. રાજાની વરણાગી મેન્ટાલિટીના કારણે રાણીએ જ તેનાથી દૂરી કેળવી લીધી હતી.
જુઆન કાર્લોસ અને સોફિયાનાં લગ્ન ૧૯૬૨માં થયાં હતાં. ગયા મે મહિનામાં બંનેનાં લગ્નને પચાસ વર્ષ થયાં. એ સમયે એવી વાતો ઊડી હતી કે બંને તેના મેરેજની ગોલ્ડન જ્યુબિલી ધામધૂમથી ઊજવશે. બંનેનાં લગ્નને ૨૫ વર્ષ થયાં ત્યારે જોરદાર ઉજવણી કરાઈ હતી. જો કે આ વખતે લગ્નની તારીખ આવે એ પહેલાં જ રાણીએ કહી દીધું કે, નો સેલિબ્રેશન. એટલું જ નહીં રાણીએ ખુલ્લેઆમ એમ પણ કહી દીધું કે અમારા વચ્ચે હવે આત્મીયતા રહી નથી.
રાજા જુઆન કાર્લોસનું મગજ તેજ છે. વેનેઝુએલાના પ્રેસિડેન્ટ હ્યુગો ચાવેઝની છાપ પણ માથાફરેલાની છે, આમ છતાં એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હ્યુગો ચાવેઝે ન ગમે એવી વાત કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે જાહેરમાં કહી દીધું કે શટ અપ. હજુ થોડા સમય અગાઉ જ ડ્રાયવરે ગાડી બરોબર પાર્ક ન કરી ત્યારે રાજા જુઆન કાર્લોસે તેને મુક્કો માર્યાની વીડિયો ક્લીપે હોબાળો મચાવ્યો હતો. રાજા ડ્રાયવરને મુક્કો મારે એ ઘટનાને લોકોએ ગંભીરતાથી લીધી હતી અને શરમજનક ગણાવી હતી. આ તે કંઈ રાજાની મેનર્સ છે? રાજાને આવું શોભે? એવા પ્રશ્નો ઊઠયા હતા.
રાજા જુઆન કાર્લોસને હાથીના શિકારનો શોખ પણ ભારે પડયો છે. આ વર્ષે જ બોત્સવાનામાં રાજા જુઆન કાર્લોસે હાથીનો શિકાર કર્યો હતો. મરેલા હાથીની નજીક હાથમાં બંદૂક રાખીને ઊભેલા રાજા જુઆન કાર્લોસની તસવીરે એવો હોબાળો મચાવ્યો કે રાજાએ આખરે માફી માગવી પડી હતી.
રાજા જુઆન કાર્લોસના નાના ભાઈ અલફોન્સોનું મોત રહસ્યમય સંજોગોમાં થયું હતું. આ પ્રકરણમાં પણ જુઆન કાર્લોસનું નામ ચર્ચાએ ચડયું હતું. આખી વાત છે માર્ચ ૧૯૫૬ની. રાજાનો પરિવાર પોર્ટુગલના ઇસ્ટોરીલ ખાતે ફરવા ગયો હતો ત્યારે એક ગન એક્સિડન્ટમાં અલફોન્સોનું મોત થયું. સાચું કારણ તો હજુ બહાર આવ્યું નથી પણ એ સમયે એવી યાદી બહાર પડી હતી કે યુવરાજ અલફોન્સો તેની રિવોલ્વર સાફ કરતા હતા ત્યારે અચાનક ગોળી છૂટી અને અલ ફોન્સોના માથામાં વાગી. થોડી જ મિનિટોમાં તેનું મૃત્યુ થયું. એક વાત એવી પણ બહાર આવી હતી કે જુઆન કાર્લોસે જ રમત રમતમાં નાના ભાઈ અલફોન્સો સામે રિવોલ્વર તાકી હતી. તેને ખબર ન હતી કે રિવોલ્વર લોડેડ છે. ટ્રિગર દબાઈ ગયું, ગોળી અલફોન્સોને વાગી અને તેના રામ રમી ગયા. ખરેખર શું થયું હતું એ રાઝ હજુ સુધી રાઝ જ છે.
રાજા વિશે આવી તો અનેક વાતો સ્પેન અને આખી દુનિયામાં ચાલતી રહે છે. જો કે સ્પેનના લોકો આવી વાતો માણે છે અને ચર્ચાઓ પણ કરે છે. છતાં તે આવી વાતોને રાજાની અંગત બાબતો ગણે છે. આમ તો સ્પેન આખો દેશ જ રંગીનમિજાજી છે. સ્પેન વિશે એવી રમૂજ જગજાહેર છે કે સ્પેનના સર્જન વખતે પરમાત્માએ લોકોને પૂછયું કે બોલો તમને શું જોઈએ છે? લોકોએ કહ્યું કે વિવિધ હવામાનવાળો અત્યંત સુંદર પ્રદેશ, સુંદર સ્ત્રીઓ, સ્વાદિષ્ટ ભોજન, ફળો અને દારૂ. પરમાત્માએ કહ્યું કે તથાસ્તુ. બસ ત્યારથી સ્પેન સૌંદર્યનો પર્યાય બની ગયું છે.
સ્પેન ત્યાંની બુલફાઈટના કારણે કાયમ ચર્ચામાં રહ્યું છે. આ ઉપરાંત સ્પેન ફ્લામેન્કો માટે પણ જાણીતું છે. ફ્લામેન્કો એ સ્પેનની આગવી ગાયન અને નૃત્યશૈલી છે. હિન્દી ફિલ્મ ’જિંદગી મિલેગી ના દોબારા’ માં આખું સ્પેન બતાવાયું છે. આ ફિલ્મનું પેલું ગીત યાદ છે? ના મૈં સમજા, ના મૈં જાના, જો ભી તુમને મુજ સે કહા હૈ, સેન્યોરિટા… એ ગીત ફ્લામેન્કો છે. સ્પેનનો ન્યૂડ બીચ પણ આખી દુનિયાના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આવા બીચ પર તદ્દન નિર્વસ્ત્ર હાલતમાં લોકો બિન્ધાસ્ત ફરે છે.
હવે આવા દેશનો રાજા રંગીન મિજાજનો જ હોય એમાં નવાઈ શું? જો કે હવે રાજા બુઢ્ઢો થયો છે. હાથીનો શિકાર કરવા ગયા હતા ત્યારે રાજાસાહેબ એવા પડી ગયા કે થાપાનું હાડકું ભાંગી ગયું. એ પછી રાજાએ બે વખત હિપ સર્જરી કરાવવી પડી છે. થોડા સમય અગાઉ તારીખ બીજી ઓગસ્ટ, ૨૦૧૨ના રોજ રાજા જુઆન કાર્લોસ મેડ્રિડ ખાતે સેનાના હેડ ક્વાટરની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક ગબડી પડયા હતા. રાજા તરત જ ઊભા તો થઈ ગયા હતા પણ ઈજાના કારણે તેનું નાક લાલચોળ થઈ ગયું હતું.
ગમે તે હોય, આ રાજા હજુયે સ્પેનમાં એવા ને એવા લોકપ્રિય છે. તેનું કારણ એક જ છે કે તેને પોતાના દેશ અને દેશવાસીઓની ચિંતા છે. અત્યારે પણ યુરોઝોન સંકટમાંથી પોતાના દેશને બહાર કાઢવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. સ્પેન સાથે સંબંધો વધુ સારા થાય એ આપણા દેશના પણ હિતમાં છે. સ્પેનના આ રાજા દેશના હિત માટે પણ જ્યાં ક્યાંય જાય ત્યાં તેની મુલાકાતના હેતુ કરતાં તેના આશિક અને રંગીન મિજાજની ચર્ચા જ વધુ થાય છે.
(‘સંદેશ’. તા. 31મી ઓકટોબર,2012. બુધવાર. અર્ધસાપ્તાહિક પૂર્તિ, ‘દૂરબીન’ કોલમ )