Friday, March 29, 2013

આ સ્માર્ટ ગર્લ 13,000 બટાકા ખાઈ ગઈ : જુઓ તસવીર


નવી દિલ્હી 29, માર્ચ

મોટાભાગના લોકો એક દિવસમાં બે વાર એક પ્રકારનું ભોજન ખાવાનું પસંદ નથી કરતા પરંતુ ઈંગ્લેંડની એક યુવતી 13,000 બટાકા ખાઈ ગઈ છે અને તેનું કારણ એ છે કે તેને બીજુ કઈં ખાવાથી ડર લાગે છે. તે ફક્ત બટાકા ખાયા છે, તે પણ ફક્ત બાફેલા બટાકા

23 વર્ષની ક્લેરી જોન આ સિવાય કોઈ પણ વસ્તુ ખાઈ જ નથી શકતી. એટલું જ નહી ખાવાનું બને તેની સુગંધ પણ તેનાથી સહન નથી થતી. આની સાથે તે પનીર અને બર્ગર ખાઈ સકે છે. પરંતુ તેના ખાવામાં થોડો પણ બદલાવ થાય તો તે બિમાર થઈ જાય છે.

ક્લેરીએ કહ્યું કે હું બટેકા ખાઈ ખાઈ પરેશાન થઈ ગઈ છું પરંતુ મને એ સમજમાં નથી આવતું કે હું બટાકા ખાવાનું કેવી રીતે બંધ કરૂ. હું બીજુ કઈં પણ ખાવાનું પચાવી પણ નથી શકતી. ક્લેરીએ કહ્યું કે હું કઈં નવું ખાઉ તો બીમાર પડી જાઉ છું. હું મારા દોસ્તો સાથે બહાર જઈ કઈં ખાઈ પણ નથી શકતી. તે ફેમિલી, દોસ્તો કે બોયફ્રેંડ સાથે હોટલમાં જાય તો બધાનું મોંઢુ જોઈ બેસી રહે છે.







એવરેસ્ટને જીતનારા જિંદગીનો જંગ હારી ગયા


લંડન, તા. ૨૩
વર્ષ ૧૯૫૩માં પહેલી વખત એવરેસ્ટ પર વિજય હાંસલ કરનારી ટીમના અંતિમ જીવિત સભ્ય જ્યોર્જ લુવાનું ડર્બિશાયરમાં મૃત્યુ થયું છે. લાંબી બીમારી બાદ બુધવારે રિપલેમાં તેમણે અંતિમ શ્વાસ લીધો હતો. તેમના અંતિમ સમયે તેમની પત્ની મેરી તેમની સાથે હતી અત્યારે મેરીની ઉંમર ૮૯ વર્ષ છે. ન્યૂઝીલેન્ડમાં જન્મેલા લુવા એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગેની ટીમનો જ ભાગ હતા,તેમની સાથે રહીને લુવાએ પહેલી વખત દુનિયાના સૌથી ઊંચું શિખર એવરેસ્ટે સર કર્યું હતું. લુવા તે ટીમના મુખ્ય ફોટોગ્રાફર હતા. લુવાએ ૧૯૫૭-૫૮માં એન્ટાર્કટિકાને ચાલતાં પાર કરવાનાં અભિયાનમાં પણ ભાગ લીધો હતો. દક્ષિણ ધ્રુવના રસ્તે એન્ટાર્કટિકાને પાર કરવાનું તે સૌૈથી પહેલું સફળ અભિયાન હતું ત્યાર પછી તેમણે ગ્રીનલેન્ડ, ગ્રીસ અને ઇથોપિયા અભિયાનોમાં ભાગ લીધો હતો.
 ગણતરી કરતાં વહેલું પાર પાડયું અભિયાન
લગભગ ૧૮ વર્ષ પહેલાં તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે અમારો એન્ટાર્કટિકા પાર કરવાનો અનુભવ રોચક હતો. અમારી ધારણા હતી કે અમે ૧૦૦ દિવસમાં જ એન્ટાર્કટિકાને પાર કરી જઈશું પણ અમે આ કામ ૯૯ દિવસમાં જ પૂરું કરી દીધું, લોકોને ખૂબ જ આનંદ થતો હતો, તેમણે જણાવ્યું કે મારે તેમાં કેમેરામેન તરીકે પણ કામ કરવાનું હતું, તે કામ ખરેખર કઠીન હતું. તેમનો ક્લોકવર્ક કેમેરો ઓપરેટ કરવા માટે તેમને ચાર જોડી હાથનાં મોજાં પહેરવાં પડતાં હતાં. તેમણે કહ્યું કે જ્યારે કોઈ નાઇટ કેમ્પ થતો ત્યારે એમ થયું કે એમાં ભાગ લેવો કે તેને રેકોર્ડ કરવો.
 એક હીરો હતા
કેમ્બ્રિજ યુનિર્વિસટીના સ્કોટ પોલર રિસર્ચ ઇન્સ્ટિટયૂટના પૂર્વ અધ્યક્ષ ડો. લુઈસ જોન્સે ૨૦૦૫માં લુવા સાથે પહેલી વખત મુલાકાત કરી હતી. ડો. જોન્સ જણાવે છે કે તે સાચા હીરો હતા. લુવાના પર્વતારોહણની યાદો અને તસવીરોનું એક પુસ્તક જે તેમણે સાથે તૈયાર કર્યું છે તે આગામી મે મહિનામાં પ્રસિદ્ધ થવાનું છે. જોન્સ જણાવે છે કે લુવા બુદ્ધિશાળી અને ઉદાર વ્યક્તિ હતી જેમને પ્રસિદ્ધિની કોઈ ભૂખ નહોતી. એવરેસ્ટવિજયનાં ૬૦ વર્ષ બાદ તેમની સિદ્ધિઓની પ્રસિદ્ધિ મળવી જ જોઈએ. આ સદીનાં બે મોટાં અભિયાનોમાં લુવા જોડાયેલા હતા, તેમ છતાં તેઓ હંમેશાં વિનમ્ર જ રહ્યા છે.
જ્યોર્જ લુવાની વિગતો
  • હેસ્ટિંજ, ન્યૂઝીલેન્ડમાં જન્મેલા લુવા અભ્યાસ બાદ સ્કૂલટીચર બન્યા અને વેકેશન દરમિયાન પર્વતારોહણ કરતા હતા.
  • ૧૯૫૧માં તે અને સર એડમંડ હિલેરી હિમાલયમાં ન્યૂઝીલેન્ડનાં પહેલા અભિયાન દળના સભ્ય બન્યા.
  • ૧૯૫૩માં ક્વીન એલિઝાબેથ બીજાના રાજ્યાભિષેક પહેલાં તેમણે ૨૯,૦૨૮ ફૂટ ઊંચાં શિખર પર વિજય હાંસલ કર્યો.
  • ફોટોગ્રાફર લુવાએ પર્વતારોહણના અનુભવોની એક ડોક્યુમેન્ટ્રી પણ બનાવી હતી જેને ઓસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી હતી.
  • એન્ટાર્કટિકા પાર કરવાનાં અભિયાનની પણ એક ફિલ્મ બનાવી હતી, જેનું નામ હતું 'એન્ટાર્કટિકા ક્રોસિંગ'.

Monday, March 25, 2013

નવા પોપ ફ્રાન્સિસની રસપ્રદ દિનચર્યા


લંડન :  25, માર્ચ
નવા પોપ ફ્રાન્સિસ કેથોલિકે ચર્ચના પ્રમુખ તરીકેની જવાબદારીઓ સંભાળી લીધી છે ત્યારે એ વાતે પણ તેઓ એટલા માટે ચર્ચામાં રહ્યા છે કે તેઓ પહેલા એવા પોપ છે જેમનો સંબંધ લેટિન અમેરિકા સાથે છે. સત્તાવાર રીતે તેમનો કાર્યભાર સંભાળવાના સમારંભમાં છ વર્તમાન રાજા, ૩૧ રાષ્ટ્રોના અધ્યક્ષ અને ૧૩૨ દેશોના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.
પોપ માત્ર વિશ્વના સૌથી નાના દેશ વેટિકન સિટીના રાષ્ટ્રાધ્યક્ષ હોય છે એટલું જ નહીં, પરંતુ દુનિયાના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા ૧.૨ અબજ કેથોલિક ખ્રિસ્તીઓના આધ્યાત્મિક નેતા પણ છે, ત્યારે સૌથી વધુ વિચારણીય વાત એ છે કે પોપના જે પદની આટલી ચર્ચા છે તે વ્યક્તિનું આખરે કાર્ય શું હોય છે તેમની દિનચર્યા કેવી હોય છે તેવા પ્રશ્ન કરોડો લોકોનાં મનમાં થાય તે સ્વાભાવિક છે.
ધાર્મિક જવાબદારી
પોપનાં નિયમિત કામોમાં વેટિકન પહોંચતાં દુનિયાભરના શ્રદ્ધાળુઓને સંબોધન કરવાનું અને તેઓને આશીર્વાદ આપવાનું હોય છે, આ માટે તેઓ તેના અભ્યાસખંડની એ બારીનો ઉપયોગ કરે છે જ્યાંથી સેન્ટ પીટર્સનો ભવ્ય નજારો જોઈ શકાય છે.
વેટિકન સિટીમાં ઊમટે છે હજારો શ્રદ્ધાળુ
આ ઉપરાંત તેઓ સપ્તાહમાં એક વાર લગભગ પાંચ હજાર શ્રદ્ધાળુઓને મળે છે. શિયાળામાં તેનું આયોજન એક હોલમાં કરવામાં આવે છે તો ગરમીમાં પોપ સેન્ટ પીટર્સ સ્ક્વેર પર ખુલ્લા આકાશની નીચે શ્રદ્ધાળુઓને મળે છે.
પોપ સામાન્ય રીતે સેન્ટ પીટર્સની અંદર યોજાતા મહત્ત્વના ઉત્સવોે દરમિયાન આયોજનોનું નેતૃત્વ કરે છે, આમાં ક્રિસમસ અને ઇસ્ટરનો સમાવેશ થાય છે. આ દરમિયાન પોપ તે બારીએ આવે છે જ્યાં પોપ બન્યા બાદ પહેલીવાર દુનિયાની સમક્ષ આવ્યા હોય છે. અહીંથી તે તેનો ઉરબી એટ ઓરબી સંદેશ આપે છે.
બિશપોને મળવું
નનના રૃપમાં પોપના કેટલાક અંગત કર્મચારીઓ પણ હોય છે જે રસોઈ બનાવવાનું અને સાફસફાઈ જેવાં અનેક ઘરેલુ કામ કરે છે, પોપનો એક અંગત રસોઇઓ પણ હોય છે. પોપ બેનેડિક્ટ અને પોપ જહોન પોલ-બન્ને તેના અંગત સચિવ પણ રાખતા હતા.
પોપની જવાબદારીઓમાં એ પણ સામેલ છે કે તે પાંચ વર્ષમાં ઓછામાં ઓછા એક વાર વિશ્વના દરેક બિશપને મળે જેઓની સંખ્યા પાંચ હજારથી વધારે છે. આ રીતે પોપ વર્ષમાં સરેરાશ એક હજાર બિશપો એટલે કે સપ્તાહમાં વીસ બિશપોને મળે છે.
ચર્ચના કાનૂન હેઠળ પ્રત્યેક બિશપે રોમ જવાનું જરૃરી હોય છે જેથી તે દર્શાવી શકે કે તેમની દેખરેખ હેઠળના વિસ્તાર(ડાયસિસ)માં શું થઇ રહ્યું છે.
વિદેશપ્રવાસ કરવો
પોપ વેટિકન સિટીના રાષ્ટ્ર અધ્યક્ષ હોવાને કારણે આજકાલ વિદેશી પ્રવાસોને પણ પોપની જવાબદારીઓમાં સમાવવામાં આવ્યા છે. એવું દર્શાવાય છે કે પોપ તરીકે તેઓ સૌથી પહેલાં તેમના મૂળ દેશ-આર્જેન્ટિના જઇ શકે છે. આગામી જુલાઇમાં બ્રાઝિલમાં રિયો-ડી-જેનેરો શહેરમાં યોજાનાર કેથોલિક યૂથ ફેસ્ટિવલમાં પણ નવા પોપ ઉપસ્થિત રહે તેવી આશા રાખવામાં આવી રહી છે. ઇટાલીમાં તે સૌથી પહેલાં એસીસીનો પ્રવાસ કરી શકે છે જે ઇટાલીના સૌથી લોકપ્રિય સંત સેન્ટ ફ્રાન્સિસનું જન્મસ્થળ છે, તેમનાં નામ પરથી નવા પોપે તેનું નામ રાખ્યું છે.
મહેમાનનવાજી
પોપને મળવા ઘણા વિદેશી મહેમાનો પણ વેટિકનમાં આવે છે, તેમની લાઇબ્રેરીમાં તેઓ આવાં લોકોને મળે છે અહીંથી એક વખતમાં તેઓ તેના ચાર-પાંચ લોકોના સમૂહથી લઇને સેંકડો લોકોને તે મળી શકે છે.
પારંપરિક રીતે પોપ એક મોટા એપાર્ટમેન્ટમાં રહે છે જે એપોસ્ટોલિક પેલેસના સૌથી ઊંચા માળ પર આવેલું છે, પરંતુ નવા પોપ કદાચ ત્યાં ન પણ રહે જ્યારે તેમને બ્બૂલસ આયર્સના આર્ચબિશપ નિયુુક્ત કરવામાં આવ્યા હતા, તો તેમણે આર્ચબિશપ પેલેસને બદલે એક સાધારણ મકાનમાં રહેવાનું પસંદ કર્યુ હતું. અત્યાર સુધી તેઓ વેટિકનમાં એક હોટેલના રૃમમાં જ કામ કરી રહ્યા છે, તેઓ તેમના મહેલ જેવા સત્તાવાર નિવાસમાં રહેવા ગયા નથી, જે સ્વાભાવિક જ તેમની જરૃરિયાત કરતાં ઘણું વધારે મોટું હોય છે.

Sunday, March 24, 2013

BOLLYWOOD BEAUTIES OF YESTERYEARS AND PRESENT TIME




 
BABITA
Click here to join nidokidos
 

RAI
Click here to join nidokidos
 
 
ASHA PAREKH
Click here to join nidokidos
 
TANUJA
Click here to join nidokidos
 
 
WAHEEDA REHMAN
Click here to join nidokidos
 
 
 
SAIRA BANU
Click here to join nidokidos
 
 
SALMA AGHA
Click here to join nidokidos
 
 
VAIJAYANTI MALA
Click here to join nidokidos
 
 
MUMTAJ
Click here to join nidokidos
 
TINA MUNIM
Click here to join nidokidos
 
 
 
JAYA PRADA
Click here to join nidokidos


Biography of 'Waheeda Rehman'Waheeda Rehman was born on May 14, 1936.She is a famous Indian Actress.Waheeda Rehman was born into a traditional Muslim family in Hyderabad.

Thursday, March 21, 2013

મુંબઈ બ્લાસ્ટમાં સંડોવાયેલ સંજય દત્તની કહાની,તસવીરી જુબાની

મુંબઈ, 21 માર્ચ

સંજય દત્તનો જન્મ 29 જુલાઈ 1959માં થયો હતો. સુનીલ દત્ત અને નરગીસનું તેઓ પહેલી સંતાન હતાં. તેની બે બહેનો છે, કોંગ્રેસ સાંસદ પ્રિયા દત્ત અને નમ્રતા ગૌરવ કે જે અભિનેતા કુમાર ગૌરવની પત્ની છે. સંજય દત્તે પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત 12 વર્ષની વયે ફિલ્મ 'રેશ્મા' થી કરી હતી, જેમાં તેણે કવ્વાલીમાં રોલ કર્યો હતો. કોલેજનાં દિવસોમાંથી જ સંજયને ડ્રગ્સની આદત પડી ગઈ હતી, જેથી બાદમાં સુનીલ દત્તે ટેક્સાસના રિહેબિલિટેશન સેન્ટરમાં સંજયને દાખલ કર્યો હતો, જ્યાં સંજયની લત છૂટી ગઈ હતી. નિર્દેશક સુભાષ ઘાઈ પોતાની ફિલ્મ 'હિરો' માટે સંજયને સાઈન કરવા માંગતા હતા, પરંતુ ડ્રગ્સની લતનાં કારણે તેમણે જેકી શ્રોફને સાઈન કર્યો હતો. 80ના દાયકાની કેટલીક ફિલ્મો ફ્લોપ રહી હતી. બાદમાં મહેશ ભટ્ટની ફિલ્મ'સડક' રિલીઝ થતાં સંજય દત્તના કેરિયરને મોકો મળ્યો હતો, અને ત્યારથી લઈને સંજયે આજ સુધી પાછું વળીને જોવું પડ્યું નથી.

આ ફિલ્મ બાદ સંજયે 'સાજન' અને 'ખલનાયક' જેવી સુપરહિટ ફિલ્મો આપી હતી. સાજન ફિલ્મનાં રોલ માટે સંજયનું નામ ફિલ્મફેર માટે નોમિનેટ થયું હતું. માધુરી સાથે બે ફિલ્મોમાં કામ કર્યા બાદ સંજય-માધુરી વચ્ચે નજદીકીઓ વધી ગઈ હતી, પરંતુ મુંબઈ બ્લાસ્ટમાં સંજયનું નામ આવતા માધુરીએ સંજયનો સાથ છોડી દીધો હતો. 1999માં આવેલી ફિલ્મ 'વાસ્તવ' માં સંજય દત્તે રઘુ નામના ગેંગસ્ટરનો રોલ કર્યો હતો, આ ફિલ્મમાં સંજયના અભિનયના વખાણ થયા હતાં અને્ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. બાદમાં અરશદ વારસી સાથેની ફિલ્મ 'મુન્નાભાઈ એમબીબીએસ' આવી, જેણે સંજય દત્તની ઈમેજ સાવ બદલી નાંખી. આ ફિલ્મ બોક્સઓફિસ પર સુપરહિટ રહી હતી. 2008માં સંજય દત્તે રાજકીય પાર્ટી સપા જોઈન કરી હતી અને પાર્ટીનાં મહાસચિવ પણ બન્યા હતાં. બોલિવૂડમાં અજય દેવગણ સંજય દત્તનો નજીકનો મિત્ર છે.



























એક્સ્ટ્રા કોમેન્ટ -કૃષ્ણકાંત ઉનડકટ
'મધર ઈન્ડિયા'નો સન મુન્નાભાઈ જેલમાં જવાનો છે. કાનૂન કે હાથ બહોત લંબે હોતે હૈ, આ ફિલ્મી ડાયલોગ હવે સંજય દત્તને બરાબર સમજાતો હશે. સંજય દત્તની આખી જિંદગી જ ડબલ રોલ જેવી રહી છે ! સ્ટાર અને બેકાર !
"જજ સા'બ, મૈં ટેરરિસ્ટ નહીં હું, એ.કે.-૫૬ એસોલ્ટ રાઈફલ તો મૈંને અપની હિફાઝત કે લિયે રખી થી, પ્લીઝ મુજ પર રહમ કીજિયે, મુજે ટેરરિસ્ટ કે લેબલ સે મુક્તિ દીજિયે...", આ કોઈ ફિલ્મનો ડાયલોગ નથી, પણ સંજય દત્તે ખરેખર મુંબઈની ટાડા અદાલતમાં આવા મતલબની વાત કરી હતી. આ સંજય દત્ત માટે એવો ખરાબ સમય હતો જ્યારે બધા જ તેને કહેતા હતા કે, નાયક નહીં ખલનાયક હૈ તું !
'મધર ઇન્ડિયા' ફેઈમ નરગિસ અને 'હમ હિન્દુસ્તાની' ફેઈમ સુનિલ દત્તનો આ દીકરો 'સન ઓફ ઈન્ડિયા' બનવાને બદલે'ખલનાયક' બની ગયો. અંડરવર્લ્ડ સાથેના તેના સંબંધોનું પરિણામ એ ચૂકવે છે અને હજુ સાડા ત્રણ વર્ષ જેલમાં રહીને ચૂકવવું પડશે. છ વર્ષ અગાઉ પડેલી છ વર્ષની સજા ઘટીને પાંચ વર્ષની થઈ છે. આ ચુકાદો જ બતાવે છે કે સંજયની જિંદગીનો એક અઘરો અધ્યાય હજુ બાકી છે.
સંજય દત્તની જિંદગી સતત સુધરવા મથતા એક બગડેલા વ્યક્તિની જિંદગી છે. અમીરી અને લાડકોડમાં ઉછરેલા દીકરાના બગડવાના ચાન્સિસ સૌથી વધુ હોય છે એનું સૌથી મોટું ઉદાહરણ સંજય દત્ત છે. એ 'ડોક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડ'ની જિંદગી જીવતો રહ્યો છે. એક ભૂલ ઘણી વખત માણસને આખી જિંદગી શાંતિ લેવા નથી દેતી અને એ ભૂલ હતી એ.કે.-૫૬ મશીનગન રાખવાની !
મુંબઈમાં થયેલાં કોમી તોફાનો પછી સંજય દત્તે તેના અંડરવર્લ્ડ કનેક્શન દ્વારા એ.કે.-૫૬ મગાવી હતી. આ અંગે પહેલી કબૂલાતમાં ખુદ સંજય દત્તે કહ્યું હતું કે, તોફાનો પછી અમારા પરિવારને ધમકીઓ મળતી હતી અને સ્વરક્ષણ માટે મેં એ.કે.-૫૬ મગાવી હતી ! બોલો લ્યો, માણસો પોલીસ રક્ષણ મેળવે કે વધુ બોડીગાર્ડ્ઝ રાખે પણ કોઈ મશીનગન મગાવે?
૧૨મી માર્ચ, ૧૯૯૩ના દિવસે મુંબઈમાં ૧૩ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. ૨૫૭નાં મોત અને ૭૦૦ને ઘાયલ કરનાર આ બોમ્બ ધડાકામાં દાઉદનું નામ આવ્યું અને દાઉદ સાથેના સંબંધોમાં સંજયનું ! દાઉદના મિત્રો સંજયના મિત્રો હતા. સંજયે એ પણ કબૂલ કર્યું હતું કે, મૈગ્નમ વીડિયોવાળા સમીર હિંગોરા અને હનીફ કડાવાલા ગેંગસ્ટર અબુ સાલેમને લઈને તેને મળવા ઘરે આવ્યા હતા.
મુંબઈમાં બ્લાસ્ટ થયા ત્યારે સંજય દત્ત વિદેશમાં હતા. સંજયે તેના ઘરે ફોન કરીને તેના માણસ યુસુફ નળવાળાને કહ્યું કે,ઘરમાં જે એ.કે.-૫૬ પડી છે એનો નાશ કરી દે ! બોમ્બ ધડાકાના ષડયંત્રમાં ફરતો ફરતો એક રેલો સંજય દત્ત સુધી પહોંચ્યો.
એ સમયે સંજય દત્ત મોરેશિયસમાં 'આતિશ' ફિલ્મનું શૂટિંગ કરતો હતો. બોમ્બ ધડાકા પ્રકરણમાં તેને તાકીદે બોલાવાયો અને એરપોર્ટ પરથી જ ધરપકડ કરી લેવાઈ ! કેસ ચાલ્યો. એ તો સંજય દત્ત બચી ગયો અને સાબિત કરી શક્યો કે બોમ્બ બ્લાસ્ટમાં ક્યાંય તેની સંડોવણી નથી, તેની ભૂલ માત્ર એ.કે.-૫૬ મગાવવાની હતી !
સંજય દત્તની ખુદની કહાની એક ફિલ્મ બને એવી છે. માતા નરગિસ દત્તનું કેન્સરની બીમારીમાં મોત થયું પછી સંજય ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. તેની આ લત આજેય તેની આંખમાં ડોકાય છે. અમેરિકાના ટેક્સાસમાં રિહેબ ક્લિનિકમાં બે વર્ષથી વધુ સમય રહી તેણે ડ્રગ્સથી છૂટકારો મેળવ્યો હતો. જો કે પછી મુંબઈ આવી મૂર્ખામી કરી બેઠો અને અંડરવર્લ્ડ સાથે સંબંધો રાખ્યા !
અંગત જીવનમાં પણ સંજયને સતત ધક્કા વાગતા રહ્યા છે. સૌથી પહેલાં રૂચા શર્મા સાથે લગ્ન કર્યાં. દીકરી ત્રિશલાના જન્મ પછી રૂચા બ્રેઈન કેન્સરમાં મૃત્યુ પામી. ત્રિશલાની કસ્ટડી માટે કેસ કબાડા થયા. અત્યારે ત્રિશલા તેના ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથે અમેરિકા રહે છે. બીજા લગ્ન રીહા પિલ્લઈ સાથે કર્યા, પણ તેની સાથે લાંબુ ન ચાલ્યું. છૂટાછેડા થયા. ત્રીજા લગ્ન દિલનાઝ શેખ ઉર્ફે માન્યતા સાથે થયા. માન્યતાની કૂખે ટ્વીન્સ અને એ પણ એક દીકરો અને એક દીકરીના જન્મ પછી સંજય ખુશ હતો. ખાડે ગયેલી ફિલ્મી કરિયર પાછી જામી ગઈ હતી, પણ કુદરતનો કોઈ ખેલ હજુ બાકી હતો. આખરે સંજયનું નસીબ એને પાછું જેલમાં ઢસડી જશે !
સંજયની દયા ખાવાનું કોઈ કારણ નથી, કારણ કે એણે ભૂલો કરી છે અને એ ગુનાની સજા એણે ભોગવવાની છે. સંજય દત્તના એક મિત્રએ સરસ વાત કરી કે, સંજયની જિંદગી કઈ રીતે જોવી એ અઘરું છે. ગુનો કર્યા પછી પણ એને આટલી સફળતા અને લોકપ્રિયતા મળી એના માટે એને નસીબદાર સમજવો કે પછી આટલી ઇજ્જત અને સોહરત હોવા છતાં જેલમાં અવરજવર કરવી પડી તેના માટે તેને કમનસીબ ગણવો ? જે ગણવો હોય તે પણ માણસે પોતાના કર્યા ભોગવવા પડે છે અને સંજય દત્તે પણ ભોગવવા પડશે. હા, અજમલ કસાબ, અફ્ઝલ ગુરુ પછી ફાંસીની સજા માટે એક નવો મુદ્દો બધાને મળી જશે કે હવે યાકુબ મેમણને ફાંસી ક્યારે આપો છો ?

નવી દિલ્હી, 21 માર્ચ

બોલિવૂડ સ્ટાર સંજય દત્તને 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસમાં પાંચ વર્ષની જેલની સજા થઈ છે. સંજય દત્ત પહેલાં પણ 18 મહિનાની જેલ ભોગવી ચૂક્યો છે. એવામાં સંજય દત્તે ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે. સંજય દત્તને કોર્ટે એક મહિનાનો સમય સરેન્ડર કરવા માટે આપ્યો છે.

બોમ્બ બ્લાસ્ટ બાદ 15મી માર્ચ 1993માં સંજયે મુંબઈ પોલીસ આગળ સરેન્ડર કર્યું હતું અને તેની પાસેથી એકે 56 રાયફળ મળી આવી હતી, જેથી તેના પર ટાડા જેવો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. 18 મહિનાની જેલ બાદ ઓક્ટોબર 1995માં સંજય દત્ત સુપ્રિમ કોર્ટમાંથી જામીન મેળવી છૂટ્યો હતો. 2007માં ફરીથી સંજયની ધરપકડ થઈ હતી, પરંતુ તે ફરીથી છૂટી પણ ગયો હતો. ટાડા કોર્ટે સંજયને 6 વર્ષની જેલની સજા આપી હતી.

સંજય દત્તે છ વર્ષની જેલની સજા સામે સુપ્રિમ કોર્ટમાં  અપીલ કરી હતી, જેના પર આજે નિર્ણય આવવાનો હતો. કોર્ટે એક વર્ષની રાહત આપીને સંજયને 5 વર્ષની જેલની સજા આપી છે.

નવી દિલ્હી 21, માર્ચ

1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટમાં સુપ્રિમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સુનાવી દીધો છે. સુપ્રિમ કોર્ટે આ મામલામાં સંજય દત્તની સજાને ઘટાડી પાંચ વર્ષ કરી દીધી છે. જ્યારે સંજય 18 મહિના જેલમાં રહી ચુક્યો છે. તો આપણે જોઈએ કે બોલીવુડમાં સંજય દત્તને સજા મળવાની શું અસર છે અને આ મુદ્દે કોનું શું - શું કહેવું છે.

જયા પ્રદા
હું અદાલતના નિર્ણયનું સન્માન કરૂ છું. સંજય દત્ત નિર્દોષ છે. 18 મહિના જેલ ભોગવ્યા બાદ ફરી તેને જેલની સજા બહું દુખની વાત છે.

મહેશ ભટ્ટ
જિંદગી ફિલ્મની જેમ નથી.

અબુ આજમી, એસપી એમએલએ
સંજય દત્ત આતંકવાદી નથી. તેણે એક ભૂલ કરી પરંતુ તે આતંકવાદી નથી. હું પણ આ મામલે એક વર્ષ જેલમાં રહ્યો હતો.

કરણ જોહર
સંજય દત્તની સજાનો નિર્ણય સાંભળી કુબ જ દુખી છું. તે એક સારો માણસ છે.

સોહા અલી ખાન
બહું જ પરેશાન કરતા સમાચાર છે. સંજય અમારો દોસ્ત છે. અમારા પરિવાર સાથે સારા સબંધ છે. મને ખુબ જ દુખ થઈ રહ્યું છે.

પ્રીતેશ નંદી 

સુપ્રિમ કોર્ટનો બ્લાસ્ટને લઈ નિર્ણય સાચો છે. પરંતુ હું સંજય દત્તને લઈ બહું દુખી છું.

સુચિત્રા 
20 વર્ષ બાદ સંજય દત્તને પોતાની અક્જ્ઞાનતાની કિંમત ચુકવવી પડી રહી છે. ભગવાન તેને તથા તેના પરિવારને શક્તિ આપે.

આફ્તાબ શિવદાસાની 
સંજય દત્ત પર આવેલ નિર્ણયથી દુખી છું. મને સંજયના પરિવાર પ્રત્યે સહાનૂભૂતિ છું. તેઓ એક યૌદ્ધા હતા અને રહેશે.

નિર્દેશક અનુભવ સિંહા
સંજુને ખૂબ જ પ્રેમ. તેઓ ખૂબ ક્ષમાશીલ વ્યકિત છે, તેની મને ખબર છે. મને દુખ છે કે તેઓ પોતાની જાતને માફી આપી શક્યા નહીં. - 

નિર્દેશક કૃણાલ કોહલી 
વર્ષ 1993માં થયેલાં બ્લાસ્ટમાં સંજય દત્ત નિર્દોષ છે. અસલી ગુનેગારો તો પાકિસ્તાનમાં બેઠાં છે, જેવી રીતે લાદેન રહેતો હતો. 

નિર્દેશક વિશાલ દદલાની 
હું કાયદાનું સન્માન કરું છું, પરંતુ આ નિર્ણયથી મને દુખ થયું છે. સંજયે નિસ્વાર્થ પણે લોકો માટે ઘણું કર્યું છે.

નવી દિલ્હી, તા. ૨૧
સંજય દત્તના જીવનની વાત કરીએ તો બાળપણથી માંડીને અત્યાર સુધી તે પ્રોટાગોનિસ્ટ જ રહ્યો છે. પોતાની મનમાની કરતી એક જિદ્દી વ્યક્તિએ જેલમાં ગયા પછી અને ગાંધી વિચારો ધરવાતી ફિલ્મ કર્યા પછી જિદંગીના અસલી રસને ચાખ્યો હતો. સુપ્રીમે ગુરુવારે આપેલો ચુકાદો ફરી એક વખત તેને પોતાના ભૂતકાળમાં લઈ જાય તેવો છે, શ્રીમંત નબીરાથી માંડીને પરિપક્વ અભિનેતા સુધીનો તેનો ભૂતકાળ.
સુનિલ દત્ત અને નરગિસનો પુત્ર સંજય બાળપણથી લાડકો હતો. સંજય દત્તનો અભ્યાસ લોરેન્સ સ્કૂલમાં સનાવરમાં થયો હતો. તરુણાવસ્થાથી માંડીને દારુનું સેવન, તોફાનો, ગમતું જ કરવાની માનસિકતા, પોતાનાં જીવનમાં નિષ્ફળ લગ્નો, ડ્રગ્સનું સેવનના કારણે હંમેશાં ચર્ચામાં રહેનારા સંજયે બ્લાસ્ટ કેસમાં થોડી સજા કાપ્યા ન્ બાદ પોતાનું જીવન ખૂબ જ સાવચેતીથી સંભાળ્યું હતું.
૧૯૮૧માં રજૂ થયેલી ફિલ્મ રોકી સંજય દત્તની મુખ્ય ભૂમિકાવાળી પહેલી ફિલ્મ હતી, જે ખાસ સફળ રહી નહોતી. જોકે ૧૯૯૩માં રિલીઝ થયેલી ફિલ્મ 'ખલનાયક' સુપરહિટ સાબિત થઈ હતી. વર્ષ ૨૦૦૩માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ એમબીબીએસે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને સંજયદત્તને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઓળખ આપી હતી. સંજય દત્તે રાજકીય કારકિર્દીમાં પણ નિષ્ફળ નિવડવું પડયું હતું. ૨૦૦૯માં તેણે સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી પરંતુ મુંબઇ બ્લાસ્ટ કેસમાં કોર્ટે તેને અપરાધી તરીકે જ રાખતા તેણે ઉમેદવારી પાછી ખેંચી લીધી અને પછીનાં વર્ષે તેણે રાજકારણને અલવિદા કરી દીધા.
  • પત્રકારને કારણે સંજય દત્તે આત્મસમર્પણ કરવું પડયું હતું
છાપામાં નામ આવતાં જ સંજય દત્ત ચોંકી ઊઠયો
૧૨ માર્ચ, ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ બાદ એક મહિનો અને ત્રણ દિવસ બાદ ૧૫મી એપ્રિલે વરિષ્ઠ પત્રકાર બલજિત પરમારે એક વર્તમાનપત્રમાં અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે મુંબઇ બોમ્બ વિસ્ફોટમાં સંજય દત્તનું નામ પણ સામે આવી રહ્યું છે. બલજિતે આ અંગે જણાવ્યું હતું કે, તે સમયે સંજય દત્ત મોરિશિયસમાં ફિલ્મ 'ખલનાયક'નાં શૂટિંગમાં વ્યસ્ત હતો. આ સમાચાર આવતાંની સાથે જ સંજય દત્તે રાત્રે સાડા નવ વાગે તેને ફોન કરીને દાવો કર્યો હતો કે તેમનો અહેવાલ સાવ ખોટો છે. સંજયદત્તે તે સમયે બલજિત પાસેથી તે સમયના પોલીસ કમિશનર અમરજિતસિંહ સામરાનો નંબર માગ્યો હતો. આ સમયે મોબાઇલ ફોનનો જમાનો નહોતો. બલજિતે સંજયને જણાવ્યું કે તે સામરાની ઓફિસનો નંબર તો અત્યારે જ આપી શકે છે કે પરંતુ ઘરના નંબર માટે પહેલાંં સામરાના નંબરની પરવાનગી માગે છે. સામરાએ મંજૂરી આપતાં બલજિત સંજય દત્તને તેમનો નંબર આપે છે.
ડરી ગયેલા સંજય દત્તે અડધી રાત્રે કમિશનરને ફોન કર્યો
સંજયે ત્યાર બાદ મોડી રાત્રે સામરાને ફોન લગાવ્યો અને પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું અને કહ્યું કે જો તમે ઇચ્છતા હો તો હું અત્યારે જ ફ્લાઇટ પકડીને મુંબઈ આવી શકું છું, જોકે સામરાએ તેમને જવાબમાં જણાવ્યું કે, જો તમને લાગતું હોય કે તમે નિર્દોષ છો તો તમે આટલા પરેશાન કેમ છો? તમે આરામથી શૂટિંગ પૂરું કરીને મુંબઇ આવો. સામનાનાં આ આશ્વાસનથી સંજય દત્ત ગેરસમજમાં રહ્યો અને તેણે માની લીધું કે પોલીસની પાસે કોઇ જાણકારી નથી અને બોમ્બ બ્લાસ્ટ કેસમાં તેમના નામનો સમાવેશ કરાયો નથી. સંજય દત્ત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સમક્ષ ફરીથી નિર્દોષતાનો જ રાગ આલાપ્યો, પરંતુ જ્યારે સંજયની સામે સમીર હિંગોરા અને હનીફ કડાવાલાને લાવવામાં આવ્યો ત્યારે તેની બોલતી એકદમ બંધ થઈ ગઈ.
૨૦ વર્ષ પહેલાં ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં ૧૫૦થી વધુની ધરપકડ કરાઈ હતી. તેમાં સૌથી મોટી ધરપકડ અભિનેતા સંજય દત્તની કરાઈ હતી. સૌથી મહત્ત્વપૂર્ણ વાત તે છે કે સંજય દત્તે પોલીસનાં દબાણને કારણે નહિ પરંતુ પત્રકારના અહેવાલને કારણે આત્મસમર્પણ કર્યુ હતું.
સંજયને નિર્ણય 'જેવો છે તેવો' સ્વીકાર્ય - વકીલ
નવી દિલ્હી : સુપ્રીમ દ્વારા સંજય દત્તને ફટકારવામાં આવેલી ૫ વર્ષની સજા બાબતે સંજયના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે, સંજય એક મજબૂત માણસ છે અને સુપ્રીમે આપેલી સજા તેમને સ્વીકાર્ય છે. ૧૯૯૩માં ટાડા કોર્ટ સમક્ષ સંજયની રજૂઆત કરનારા માનશિંદેએ કહ્યું હતું કે, મેં સંજયને આ વિશે વાત કરી છે કે તેણે સાડા ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને આ બાબતે મેં સંજયને પહેલાંથી જ તૈયાર કરી દીધો હતો.
નવી દિલ્હી, તા 21
મેં ૨૦ વર્ષ સુધી દુઃખ સહન કર્યુ છે અને ૧૮ મહિના સુધી જેલમાં પણ રહ્યો છું. આજે મારું હૃદય તૂટી ગયું છે કારણ કે મારી સાથે મારી પત્ની અને ત્રણ બાળકો પણ સજા ભોગવશે. મેં હંમેશા ન્યાય તંત્રનું સન્માન કર્યુ છે અને આગળ પણ કરતો રહીશ. ભલે મારી આંખોમાં આંસુ કેમ ન હોય, હું મારી તમામ ફિલ્મો પૂરી કરીશ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા અને શુભચિંતકોનું સમર્થન મેળવીને હું ભાવુક છું. હું દિલથી જાણુ છું કે હું એક સારી વ્યક્તિ છું અને દેશ પ્રત્યે વફાદાર રહ્યો છું. અત્યારે મારો પરિવાર ભાવુક છે અને તેમના માટે મારે મજબૂત બનવું પડશે. મારા ચાહકો મારા માટે પ્રાર્થના કરે.
 
હું નથી ઇચ્છતો કે મારા પુત્રો મારા જેવા બને : સંજય દત્ત
મારા પિતા ખૂબ જ ઉમદા વ્યક્તિ હતા અને અમારા પૂરા પરિવારને તેમણે મજબૂતીથી સંભાળ્યો હતો, હું તેમના જેવો બનવા માગું છું, જોકે હું ક્યારેય નથી ઇચ્છતો કે મારાં બાળકો મારા જેવા બને. મેં તોફાન-મસ્તી કરીને ઘણાંબધાંને તંગ કર્યાં છે, હું મારા પુત્રો પાસેથી આવી અપેક્ષા નથી રાખતો. હવે મને પિતા હોવાનો અહેસાસ થાય છે. જ્યારે મારી પુત્રી ત્રિશાલા નાની હતી ત્યારે તે પોતાની માતા ઋચા સાથે અમેરિકામાં હતી, તેથી મેં તેની સાથે ખૂબ જ ઓછો સમય વિતાવ્યો હતો.
મુશ્કેલી થી ફાયદો મળ્યો છે : સંજય
મારા જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી છે, ડ્રગ્સનું વ્યસન, મારી માતા અને મારી પત્નીનું મોત અને બાદમાં જેલમાં જવું. આ તમામ અનુભવોનો એક ફાયદો તે થયો છે કે હવે હું તમામ રોલ કરી શકું છું. માણસે ક્યારેય હિંમત છોડવી જોઇએ નહિ અને તેણે હંમેશાં પરિવાર અને ભગવાન ઉપર ભરોંસો રાખવો જોઇએ. મારા જીવનમાં અનેક ઉતારચડાવ આવ્યા છે અને તમામ મુશ્કેલીઓમાંથી હું હસતાં હસતાં બહાર આવ્યો છું. હું નસીબદાર છું કે માન્યતા મારી પત્ની છે. તેણે અમારા પરિવારને એક કર્યો, મારી જિંદગી સેટ કરી છે.
૨૫૦ કરોડથી વધારે ડૂબશે, ૮ ફિલ્મને અસર
એક અંદાજ પ્રમાણે ગ્લેમર ઇન્ડસ્ટ્રીએ સંજય દત્ત પર ૨૫૦ કરોડ કરતાં પણ વધારેનું ઇન્વેસ્ટમેંટ કરેલ છે.
ડાયરેક્ટર સુભાષ કપૂરે પણ પાછલા દિવસોમાં મુન્નાભાઈ સિરીઝની નવી ફિલ્મ પર કામ શરૃ કરી દીધું છે. વાત ત્યાં જ આવીને અટકે છે કે જો સંજય દત્ત જેલમાં જશે તો મુન્નાભાઈ સિરીઝની ત્રીજી ફિલ્મનું શું થશે. કારણ કે લોકમાનસમાં મુન્નાભાઈ તરીકે સ્થાન જમાવનારા સંજય વગર આ ફિલ્મને અન્ય કોઈ ઉઠાવી શકે તેમ લાગતું નથી. સંજય દત્ત અત્યાર સુધી ટીપી અગ્રવાલની એક્શન અને થ્રિલર ફિલ્મ 'પુલીસગીરી'નાં છેલ્લાં શૂટિંગ શિડયુલમાં વ્યસ્ત હતો. ૩૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મનું ૮૦ ટકા જેટલું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે અને નિર્માતા કંપની આ ફિલ્મને જૂનમાં રિલીઝ કરવાનું વિચારી રહી હતી. સંજય દત્તને પાંચ વર્ષની જેલ થવાને લીધે આવા ઘણાબધા પ્રોેજેક્ટનું ભવિષ્ય અંધકારમય દેખાઈ રહ્યું છે. સંજય દત્તે પાછલા દિવસોમાં રાજકુમાર હિરાનીની મેગાસ્ટાર ફિલ્મ 'પીકે'નાં શૂટિંગ શિડયુલ પહેલાં જ તે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી દીધું હતું, આ ફિલ્મનું લગભગ ૩૦ ટકા જેટલું જ કામ બાકી છે. આમિરખાન, અનુષ્કા શર્મા જેવા સ્ટારવાળી આ ફિલ્મનું બજેટ લગભગ ૬૫થી ૭૦ કરોડ જેટલું આંકવામાં આવી રહ્યું છે. સિત્તેરના દાયકાની સુપરહિટ ફિલ્મ 'જંજીર'ની રિમેકમાં પ્રાણની ભૂમિકા સંજય દત્ત ભજવી રહ્યો છે, જેનું શૂટિંગ લગભગ પૂરું થઈ ગયું છે. પ્રિયંકા ચોપરા અને રામચરણ તેજા જેવા સ્ટારવાળી આ ફિલ્મ ૩૫થી ૪૦ કરોડનાં બજેટવાળી છે. આ સિવાય સંજયની અન્ય બે ફિલ્મ 'ફ્રોડ' અને 'ચમેલી'નું શૂટિંગ ધીરું ચાલી રહ્યું હોવાને લીધે આ ફિલ્મોનું ૨૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી છે. કરણ જોહરની 'ઉંગલી' ફિલ્મનું શૂટિંગ માત્ર ૩૦ જ ટકા થયું છે. સૂત્રો અનુસાર કરણ આ ફિલ્મમાં સંજયની જગ્યાએ અન્ય કોઈને લઈ શકે છે.
કેટલું નુકસાન
  • ટીપી અગ્રવાલની એક્શન અને થ્રિલર ફિલ્મ 'પુલીસગીરી'-૩૦ કરોડનાં બજેટવાળી આ ફિલ્મ-૨૦ ટકા જેટલું શૂટિંગ બાકી.
  • રાજકુમાર હિરાનીની મેગાસ્ટાર ફિલ્મ 'પીકે'- ફિલ્મનું બજેટ લગભગ ૬૫થી ૭૦ કરોડ-૩૦ ટકા જેટલું શૂટિંગ બાકી.
  • સુભાષ કપૂરની મુન્નાભાઈ ચલે દિલ્હી-શૂટિંગ શરૃ નહોતું થયું
  • 'જંજીર'ની રિમેક-૩૫થી ૪૦ કરોડનાં બજેટવાળી-ડબિંગનું જ કામ બાકી.
  • 'ફ્રોડ' અને 'ચમેલી'-૨૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી.
  • કરણ જોહરની 'ઉંગલી' ફિલ્મ-૭૦ ટકા કરતાં પણ વધારે શૂટિંગ બાકી.
  • 'ઘનચક્કર'માં કૈમિયો રોલ.
  • 'હમ હૈ રાહી કાર કે' કૈમિયો રોલ.

Friday, March 15, 2013

Women's Day



http://sim.in.com/cd50a448bb0834134e89368ba189714d_ft_xl.jpg


A says
Woman is attractive flower
B says
Woman is beautiful gift
C says
Woman is great source of comfort
D says
woman has a sweet dialect
E says
Eastern or western, woman is the worthy
F says
woman is central figure of family
G says
woman always glitters with the rays of her partner
http://sim.in.com/58f2d8b07d14d4709de9bac8fa742451_ft_xl.jpg


H says
woman has holy spirits
I says
woman has basic institution in her lap
J says
woman is a full of joy
K says
woman is head of kisses
L says
woman is lovely thing
M says
woman is symbol of modesty
N says
nails increase the beauty of woman
O says
woman is an pretty ornament
P says
woman is princess
http://sim.in.com/9131358172d0640f04e18fa8000965d3_ft_xl.jpg


Q says
woman is queen
R says
woman is rare gift
S says
woman is a main source of survival the human being
T says
woman has true spirits of love
U says
woman is an peaceful umbrella
V says
woman is valley of love 
W says
woman is wafer
X says
woman has sweet kisses
Y says
woman is your jewellery 
z says
woman has great zeal

Wednesday, March 13, 2013

આઇન્સ્ટાઇન, હોકિંગ કરતાં ભારતીય નેહા વધુ બુદ્ધિશાળી


લંડન, તા. ૫
આઈક્યુ ટેસ્ટમાં બંને વિજ્ઞાની કરતાં ૧૨ વર્ષની નેહાએ વધુ માર્કસ મેળવ્યા
બ્રિટનમાં રહેતી ભારતીય મૂળની કિશોરીએ આઈક્યુના મામલે પ્રસિદ્ધ વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇન અને સ્ટિફન હોકિંગને પાછળ છોડી દીધા છે. તેને આઇક્યુ ટેસ્ટમાં ૧૬૨ માર્કસ મેળવ્યા છે. આ સ્કોર આ બંને મહાન વિજ્ઞાનીઓ કરતાં વધુ છે. ભારતીય ડોક્ટર દંપતીની પુત્રી નેહા રામુએ મેન્સા આઇક્યુ ટેસ્ટમાં ૧૬૨નો સ્કોર કર્યો હતો જે તેની ઉંમરની સરખામણીએ વધુ છે.
આ સ્કોર સાથે તે બ્રિટનના ચમત્કારિક બુદ્ધિ ધરાવતા ટોપ એક પર્સન્ટ લોકોમાં સામેલ થઈ ગઈ છે એટલે કે તે સ્ટિફન હોકિંગ,માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ અને મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇનથી વધુ બુદ્ધિમાન છે, તેમનો આઇક્યુ સ્કોર ૧૬૦ રહ્યો હતો. નેહા જ્યારે સાત વર્ષની હતી ત્યારે તે તેના પિતા સાથે બ્રિટનમાં સ્થાયી થઈ હતી. આ પહેલાં તેઓ ભારતમાં રહેતાં હતાં. નેહાનાં માતા-પિતા કહે છે કે, તે શાળામાં પણ પ્રથમ આવે છે જ્યારે તેણે પ્રવેશપરીક્ષામાં પણ ૨૮૦માંથી ૨૮૦ માર્કસ મેળવ્યા ત્યારે તેનામાં છુપાયેલી પ્રતિભાની જાણ થઈ હતી, જોકે નેહા તેનાં માતા-પિતાની જેમ ડોક્ટર બનવા માગે છે. આ દિશામાં આગળ વધતાં તેણે હાર્વર્ડમાં ૧૮ વર્ષના વિદ્યાર્થીઓની એસએટી અમેરિકન ઇક્વિલેન્ટ્સ ઓફ એ લેવલ્સમાં ૮૦૦માંથી ૭૪૦ માર્કસ મેળવ્યા હતા.

Sunday, March 10, 2013

સાત વર્ષના આર્યને દક્ષિણ આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત સર કર્યો


નવી દિલ્હી, તા. ૯
નૌસેના અધિકારીના પુત્રે એવરેસ્ટ પર પણ ત્રિરંગો લહેરાવ્યો છે
ભારતીય નૌસેનાના અધિકારીના સાત વર્ષના પુત્ર આર્યન બાલાજીએ વધુ એક રેકોર્ડ તેના નામે કરી લીધો છે. આફ્રિકામાં આવેલા સૌથી ઊંચા પર્વતને સર કરનારો તે સૌથી નાની ઉંમરનો પર્વતારોહક બની ગયો છે. ચાલુ વર્ષે ૨૫મી ફેબ્રુઆરીએ આર્યને માઉન્ટ કિલિમાન્જેરો પર ચડીને ઇતિહાસ સર્જ્યો હતો. કિલિમાન્જેરો પર્વતની ટોચ પર ભારતીય ત્રિરંગો લહેરાવીને તેણે ગજબની હિંમત અને બહાદુરીનો પરિચય કરાવ્યો હતો. આફ્રિકાના સૌથી ઊંચા પર્વત પર ચડાઈ કરનારો તે દુનિયાની સૌથી નાની વયની વ્યક્તિ છે.
સાત વર્ષના આર્યને અદ્ભુત શારીરિક અને માનસિક શક્તિ દર્શાવી હતી. આ અગાઉ મે, ૨૦૧૨માં નેપાળમાં આવેલા માઉન્ટ એવરેસ્ટ પર ચડીને આર્યને પહેલેથી જ વિક્રમ તેના નામે નોંધાવી લીધો છે, ઉપરાંત સૌથી નાની ઉંમરે માઉન્ટ કાલાપટ્ટાર સર કરવાનો વિક્રમ પણ ૧૫મી મેના રોજ તેણે પોતાનાં નામ પર નોંધાવ્યો હતો.
માઉન્ટ એવરેસ્ટ પર ચડાણને પૃથ્વી પરનું સૌથી મુશ્કેલ કામ માનવામાં આવે છે. માર્ચ ૨૦૧૨માં તેણે અન્ય એક સિદ્ધિ પણ પ્રાપ્ત કરી હતી. આર્યને દુનિયામાં સૌ પ્રથમ વાર સમૃદ્રની નીચે ૮ મીટર ઊંડો કૂદકો માર્યો હતો. આર્યનના પિતા કમાન્ડર બાલાજીએ માઉન્ટ એવરેસ્ટ, સાઉથ પોલે અને નોર્થ પોલેનાં ખેડાણ સહિત સાહસો કરીને સફળતા પ્રાપ્ત કરી છે.

૮ ભારતીય મહિલાઓ ફોર્બ્સની યાદીમાં ચમકી


ન્યૂયોર્ક, તા. ૧
ઉદ્યોગસાહસિકોમાં શોભના ભરતિયા, પ્રિયા પોલ અને ચંદા કોચરને સ્થાન

એશિયાની ટોચની ૫૦ મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદીમાં ભારતની ૮ મહિલાઓને સ્થાન મળ્યું છે. ફોર્બ્સ દ્વારા બનાવાયેલી આ યાદીમાં મીડિયા ગ્રુપનાં શોભના ભરતિયા, હોટેલ ગ્રૂપનાં સંચાલિકા પ્રિયા પોલ તેમજ બેન્કર ચંદા કોચરને શક્તિશાળી મહિલા ઉદ્યોગ સાહસિકો ગણવામાં આવી છે. વિશ્વનાં અત્યંત ગતિશીલ ઔદ્યોગિક ક્ષેત્રમાં આ મહિલાઓએ સફળતા મેળવી છે. ૫૦ મહિલાઓમાં ૧૬ ઉદ્યોગ સાહસિકો સાથે ચીન ટોચ પર હતું જ્યારે ભારતની આઠ અને હોંગકોંગની આઠ મહિલાઓનો સમાવેશ થતો હતો.
આ મહિલાઓએ ચીનમાં આર્થિક મંદી, અમેરિકામાં ધીમા આર્થિક સુધારા અને યુરોપીય સંઘની ડેટ ક્રાઇસિસ વચ્ચે પણ સારો કારોબાર કરવામાં સફળતા મેળવી હતી. પડકારરૂપ સ્થિતિ વચ્ચે જે મહિલા ઉદ્યોગ સાહસિકોનો દેખાવ પ્રશંસનીય રહ્યો છે તેવી ૫૦ મહિલાઓને આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતીય હોટેલ ગ્રૂપના સંચાલિકા પ્રિયા પોલ દ્વારા તેમના પિતાની હત્યા પછી કારોબાર સંભાળ્યો હતો અને હોટેલોની નવી શૃંખલા ખોલી હતી. સફળ મહિલા ઉદ્યોગ સાહસિકોની આ યાદીમાં મીડિયા ગ્રૂપનાં શોભના ભરતિયા, આઈસીઆઈસીઆઈ બેન્કનાં વડા ચંદા કોચર, બાયોકોનનાં કિરણ મજુમદાર શો, એનએસઈનાં ચિત્રા રામકૃષ્ણા, રેણુકા રામનાથ, એપોલો હોસ્પિટલનાં પ્રીતા રેડ્ડી, એક્સિસ બેન્કનાં શિખા શર્માનો સમાવેશ થાય છે.

સચિન સૌથી મહાન ખેલાડીઃ એલન ડોનાલ્ડ


નવી દિલ્હી, તા. ૧૦
દક્ષિણ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર એલન ડોનાલ્ડે સચિન તેંડુલકરની સરખામણી ફૂટબોલના મહાન પ્લેયર ડિએગો મારાડોના અને પેલે સાથે કરી છે. ડોનાલ્ડે એક પુસ્તકમાં સચિન વિશે જણાવ્યું હતું કે, ફૂટબોલમાં જેમ મારાડોના અને પેલે જેવા દિગ્ગજ ખેલાડીઓનું સ્થાન ભરવું મુશ્કેલ છે તેવી જ રીતે ક્રિકેટમાં સચિન તેંડુલકરનું સ્થાન કોઈ ગ્રહણ કરી શકશે નહીં. સચિન જ્યારે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરશે ત્યારે ક્રિકેટમાંથી ક્રિકેટપ્રેમીઓને રસ ઓછો થઈ જશે. સચિન વગર ક્રિકેટની કલ્પના કરવી મુશ્કેલ છે.
ક્રિકેટમાં સૌથી મહાન ખેલાડી કોણ છે તેવા પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડે સચિનનું નામ લીધું હતું. ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ક્રિકેટમાં સચિનની તોલે બીજો એક પણ ક્રિકેટર આવી શકે નહીં. ૧૯૮૫માં મારા દાદાએ વિઝડન ક્રિકેટ મેગેઝિન દ્વારા મને સચિનનો પરિચય કરાવ્યો હતો જ્યારે તે યોર્કશાયર કાઉન્ટીમાં રમતો હતો ત્યારે મેં સચિનને પ્રથમ વખત જોયો હતો. સચિન એક નંબર વન પ્લેયર છે અને તે આજીવન નંબર વન રહેશે. મારા મતે આજીવન તે વિશ્વનો સૌથી મહાન ખેલાડી રહેશે.
બોલરોને સલાહ આપતાં ડોનાલ્ડે જણાવ્યું હતું કે, ટેસ્ટના બે દિવસ પહેલાં સચિન સામે રણનીતિ બનાવી શકાય નહીં. સચિન સામે મહિના પહેલાં રણનીતિ બનાવવી પડે છે. મેં ભારતમાં ૧૯૯૬ના પ્રવાસમાં કર્ટલી એબ્રોસ સાથે વાતચીત કરી હતી અને તેણે મને કહ્યું હતું કે, સચિન સામે ક્યારેય ૧૫ બોલ ખાલી જવા દેવા નહીં.

Thursday, March 7, 2013

અઝીમ પ્રેમજી બાદ વધુ એક ભારતીય પોતાની અડધી સંપત્તિ દાન કરશે


દુબઈ, તા. ૭
શોભા ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક પીએનસી મેનન પોતાની અડધી સંપત્તિ સમાજસેવા માટે દાન કરવાના છે. હાલમાં તેમની સંપત્તિ લગભગ ૬૦ કરોડ ડોલર છે. એક સ્થાનિક અખબારના અહેવાલ પ્રમાણે દુબઈના રહેવાસી એવા મૂળ ભારતીય મેનન પહેલા બિઝનેસમેન છે, જેમણે ૧૯૭૬માં ઓમાનમાં બિલ્ડિંગ્સનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરનારી કંપની બનાવીને પોતાની કરિયર શરૃ કરી હતી. મેનને અખબારને જણાવ્યું કે અત્યારે તો તેમણે દાન કરવાની પ્રાથમિક યોજના બનાવી છે, તેના આધારે તેઓ ઓમાન અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા માગે છે.
  • શોભા જૂથના સ્થાપક મેનનની વર્તમાન સંપત્તિ ૬૦ કરોડ ડોલર
  • દાનની રકમમાંથી ભારત અને ઓમાનમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની ઇચ્છા
  • એક તબક્કે પૈસા તમારા જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકતા નથી : મેનન
તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તમે અઢળક સંપત્તિ કમાઈ લો છો, તો મને નથી લાગતું કે તમારે તમામ સંપત્તિ તમારા પરિવાર પર જ ખર્ચ કરવી જોઈએ, થોડોઘણો ભાગ સમાજનાં કલ્યાણ માટે પણ વાપરવો જોઈએ, તેનાં કારણે જ મેં મારી અડધી સંપત્તિ સમાજસેવા માટે ખર્ચ કરવાનું નક્કી કર્યું છે. મારી વિચારસરણી ખૂબ જ સામાન્ય છે. હું પૈસા કમાવાની બાબતમાં સદનસીબ રહ્યો છું. એક તબક્કે તમારી પાસે અઢળક સંપત્તિ આવી જાય પછી વધારાની કમાણી તમારાં જીવનમાં કોઈ પરિવર્તન લાવી શકતી નથી. મને લાગે છે કે તેનો ઉપયોગ પરમાર્થ માટે કરવો જોઈએ. હકીકતમાં તો તે સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ ચૂકવવા જેવું જ છે.
ગયા મહિને જ અરબ બિઝનેસ દ્વારા અખાડી સહયોગ પરિષદના સૌથી ધનિક ભારતિયોમાં મેનનને ૨૧મા સ્થાને મૂક્યા હતા. શોભા ડેવલપર્સ ૨૦૦૬માં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જમાં પણ લિસ્ટેડ થયેલી કંપની છે. ભારત અને અખાતી દેશોમાં કંપનીના લગભગ ૨,૮૦૦ કર્મચારીઓ કામ કરે છે. મેનન શોભા રિયલ્ટી કંપનીના માનદ પ્રમુખ છે. તેમણે જણાવ્યું કે ભારત અને અખાતી દેશોમાં કંપનીનો વ્યાપ થાય તેના પર જ અત્યારે તેઓ અને કંપની કામ કરી રહી છે.

Friday, March 1, 2013

ગુજરાતના નવા ડીજીપી તરીકે અમિતાભ પાઠકની નિમણૂક


ગાંધીનગર,બુધવાર
આજે ચાર્જ સંભાળશે, ફેબ્રુઆરી ૨૦૧૫ સુધી ડીજીપી રહેશે
ગુજરાતના ડીજીપી ચિતરંજનસિંઘ ૨૮ ફેબ્રુઆરીએ વય મર્યાદાને કારણે નિવૃત થવાના હોવાથી રાજય સરકારે લાંચરુશવત બ્યૂરોના ડાયરેકટર જનરલ, ૧૯૭૭ બેચના અમિતાભ પાઠકને નવા ડીજીપી તરીકે નિમણૂંક આપી દીધી છે. ૧૯૭૬ બેચના ડીજી દીપક સ્વરૂપને સુપરસીડ કરીને અમિતાભ પાઠકને નવા ડીજીપી બનાવવામાં આવ્યા છે. અમિતાભ પાઠક ગુરુવાર મોડીસાંજે ડીજીપીનો ચાર્જ સંભાળશે.
૧૯૭૬ બેચના હોમગાર્ડના ડીજી દીપક સ્વરૂપ માર્ચ મહિનામાં વયમર્યાદાને કારણે નિવૃત થવાના હોવાથી તેમના પછીની બેચના ડીજી અમિતાભ પાઠકને ડીજીપી બનાવવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનર એસ.કે.સાઇકિયા આ વર્ષે ઓકટોબર મહિનામાં વયમર્યાદાના કારણે નિવૃત થવાના છે. આ કારણે અમિતાભ પાઠકનો એકમાત્ર હુકમ કરવામાં આવ્યો છે. તેમની જગ્યાનો વધારાનો હવાલો લાંચરુશવત બ્યૂરોના અધિક પોલીસ મહાનિર્દેશક આશીષ ભાટીયાને સોપવામાં આવશે.