Friday, May 3, 2013

મહાત્મા ગાંધીની અંગત વસ્તુઓની બ્રિટનમાં થશે હરાજી

લંડન, 3 મે

બ્રિટેનના લુડાલોમાં આ મહીનાના અંતમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની વ્યક્તિગત વસ્તુઓ અને તેના સાથે જોડાયેલી મહત્વપૂર્ણ દસ્તાવેજોની હરાજી થવાની છે. તેમની બિમારી પછી વર્ષ 1924માં જુહૂમાં સ્વાસ્થ્ય લાભ દરમિયાન બાપુએ વાપરેલી વસ્તુઓ તેમજ કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો, તસવીરો અને પત્રોનો આ હરાજીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

હરાજીમાં બાપુની જપ માળા, સાલ, ચાદર, કપ અને હાથી દાંતના ત્રણ વાંદરાઓનો પણ સમાવેશ થાય છે. બાપુએ તે ત્રણ વાંદરાઓને તેમના પોતાના હાથેથી બનાવ્યા હતા. આ હરાજી 21મે ના રોજ થવાની છે. આ વસ્તુઓને સિવાય વર્ષ 1921માં મહાત્મા ગાંધી દ્રારા લખાયેલા તેમના વસિયતનામા અને પાવર ઓફ એટર્નીનો પણ સમાવેશ થાય છે. આ હરાજીમાં અન્ય દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે.

હરાજીમાં વર્ષ 1937 દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉત્પન્ન વિવાદને શાંત કરવા માટે જે પત્રો લખ્યા હતા તેનો પણ સમાવેશ થાય છે. ગાંધીજીની કેટલીક તસવીરો પણ છે જેમાંથી કેટલીક તસવીરો પર તેમને પોતે હસ્તાક્ષર પણ કર્યા હતા. 

No comments:

Post a Comment