Tuesday, April 30, 2013

મુંબઈના સંતે ફેસબુક કમેન્ટ્સનો રેકોર્ડ બનાવ્યો

મુંબઈ, 26 એપ્રિલ

ભારતના આધ્યાત્મિક ગુરુ રાજેન્દ્ર મનહારાજે પોતાની રીતે પહેલો રેકોર્ડ બનાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.  રાજેન્દ્ર મહારાજના નામે આ રેકોર્ડ ફેસબુક  પર તેમની ટિપ્પણી પર પ્રાપ્ત 156.2 લાખ ટિપ્પણીઓ માટે થયો છે. મુંબઈના મલાડ સ્થિત રાજેન્દ્ર મહારાજના અમોઘ ધામના પ્રવક્તા મંગળવારે જણાવ્યું હતું કે, આ રેકોર્ડમાં ખાસ વાત એ છે કે દરેક ટિપ્પણીઓમાં રામ લખેલ છે.

રાજેન્દ્ર મહારાજને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી મળેલ સર્ટીમાં કહેવાયું છે કે, 30 માર્ચના રોજ ફેસબુકની તમામ સામગ્રી પર સૌથી વધુ ટિપ્પણીઓ 15,629,405 રાજેન્દ્ર મહારાજ જાપ ક્લબમાં તેમની 27 માર્ચે કરેલ એક ટિપ્પણી બાદ નોંધાઈ હતી. ગત્ મહિને રાજેન્દ્ર મહારાજની પુત્રીએ તેમના ફેસબુક ખાતા પર અનુયાયીઓને ખાસ ટિપ્પણીમાં 'રામ' લખવા કહ્યું હતું. હવે રાજેન્દ્ર મહારાજ આ આંકડો 900 લાખ પર પહોંચાડવા માંગે છે. 

No comments:

Post a Comment